બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-પાકિસ્તાન મેચમાં રન આઉટ પર આવ્યો MCCનો ચુકાદો, શું ખરેખર થયું હતું કપટ?
Last Updated: 09:20 AM, 7 October 2025
5 ઓક્ટોબરે મહિલા ODI વર્લ્ડ કપ 2025માં ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું હતું. મેચ દરમિયાન પાકિસ્તાનની ઓપનર મુનીબા અલીના રન-આઉટને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. ચોથી ઓવરના અંતિમ બોલ પર મુનિબા અલીને LBW આપ્યા બાદ, જ્યારે તે ક્રીઝની બહાર નીકળી હતી, ત્યારે દીપ્તિ શર્માનો થ્રો સીધો સ્ટમ્પ પર વાગ્યો.
ADVERTISEMENT

થર્ડ અમ્પાયર કરીન ક્લાસ્ટેએ રીપ્લે જોયા બાદ મુનિબાને રન-આઉટ જાહેર કરી હતી. પરંતુ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના ખાને આ નિર્ણયનો વિરોધ કર્યો. તેણે દલીલ કરી હતી કે મુનિબા રન લેવાનો પ્રયાસ કરી રહી ન હતી અને તેનું બેટ ક્રીઝની અંદર હતું. આ મુદ્દે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ ગરમ થયો હતો
ADVERTISEMENT

હવે MCC (મેરિલબોન ક્રિકેટ ક્લબ)એ આ મામલે પોતાનો નિર્ણય આપ્યો છે. MCCએ સ્પષ્ટ કહ્યું છે કે થર્ડ અમ્પાયરનો નિર્ણય સંપૂર્ણપણે સાચો હતો અને નિયમો પ્રમાણે હતો. MCCએ કાયદા 30.1.2નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જો બેટ્સમેન દોડતી વખતે અથવા ડાઇવ કરતી વખતે ક્રીઝની બહાર બેટ અથવા શરીર જમીન પર રાખે અને પછી સંપર્ક ગુમાવે, તો તેને આઉટ ગણવામાં નહીં આવે. પરંતુ આ નિયમ ફક્ત દોડતા અથવા ડાઇવ કરતા ખેલાડીઓ માટે લાગુ પડે છે.
ADVERTISEMENT

મુનિબા અલી ન તો દોડી રહી હતી કે ન તો ડાઇવ કરી રહી હતી. તે ક્રીઝની બહારથી ગાર્ડ લઈ રહી હતી અને જ્યારે દીપ્તિનો થ્રો સ્ટમ્પને વાગ્યો ત્યારે તેનું બેટ હવામાં હતું. તેથી ત્રીજા અમ્પાયરે યોગ્ય રીતે તેને રન-આઉટ જાહેર કર્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : વન ડે ક્રિકેટમાં ત્રિપલ સેન્ચ્યુરી! 141 બોલમાં 314 રન, આ ખેલાડીએ મચાવ્યો તહલકો
MCCએ અંતે સ્પષ્ટ કર્યું કે થર્ડ અમ્પાયરે નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું હતું અને આ નિર્ણયમાં કોઈ ભૂલ નહોતી. આ સાથે મહિલાઓના વર્લ્ડ કપની આ ચર્ચાસ્પદ ઘટનાનો અંત આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.