બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / some goons threatened with swords after denieing to come in garba
ADVERTISEMENT
અસામાજિક તત્ત્વોએ ધોળા દિવસે તલવારો લઇને રીતસરનો આંતક મચાવતાં ફફડાટ મચી ગયો
ભાઇપુરામાં આવેલી બાબુભાઇની ચાલીમાં બે યુવકોની હત્યાના ૫૦૦ મીટરના અંતરે આવેલી મહેશ્વરી સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ ધોળા દિવસે તલવારો લઇને રીતસરનો આંતક મચાવતાં ફફડાટ મચી ગયો છે. બે યુવકોની હત્યામાં પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાંય આ ઘટના બનતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.
ADVERTISEMENT
પથ્થરમારો કરીને બે કારના કાચ તોડ્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર સ્મશાન ગૃહને પોતાનો અડ્ડો બનાવીને બેઠેલા રાજુ ઉર્ફે રાજન તેનો ભાઇ અક્ષય અને અન્ય કેટલાંક અસામાજિક તત્ત્વો એ ગઇ કાલે સાંજે મહેશ્વરી સોસાયટીમાં તલવાર લઇને ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કરીને બે કારના કાચ તોડ્યા હતા. મહેશ્વરી સોસાયટીમાં રહેતા છનાભાઇ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે દોઢ વર્ષ પહેલા રાજુ ઉર્ફે રાજને તેમના ભાણેજ હર્ષવર્ધન ઝાલાના માથા પર બેટના ફટકા માર્યા હતા જેમાં પોલીસે રાજુને તડીપાર કર્યો હતો.
ADVERTISEMENT
મહિલાઓને જોઇને અશ્લીલ ચેનચાળા કરતા હત્યા ત્યારે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો
નવરાત્રિના પહેલા દિવસે રાજુ અને તેના સાગરીતો મહેશ્વરી સોસાયટીમાં ગરબા જોવા માટે ગયા હતા. જ્યાં તેઓ યુવતી તેમજ મહિલાઓને જોઇને અશ્લીલ ચેનચાળા કરતા હત્યા ત્યારે સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો હતો અને છનાભાઇ સહિતના લોકોએ તેમને ગરબા જોવા નહીં આવવાનું કહ્યુ હતું. ગરબા જોવા માટેનો ઇનકાર કરતા મહેશ્વરી સોસાયટીના રહીશો પર ગુસ્સો રાખીને ગઇ કાલે રાજુ અને તેના સાગરીતોએ મોઢા પર રૂમાલ બાંધીને તલવારો લઇને દોડી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. રાજુએ છનાભાઇની વર્ના અને જીપના કાચ તોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.