બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સુજલામ-સુફલામ'ના નામે લાખોનું માટી કૌભાંડ! ખેડાનું ડડુસર ગામ વિવાદમાં
Last Updated: 10:07 PM, 11 May 2026
ખેડા જિલ્લાના ડડુસર ગામ ખાતે ‘સુજલામ-સુફલામ’ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં મોટા પાયે માટી કૌભાંડ થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને લાખો રૂપિયાની માટી વેચી નાખવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ગેરકાયદે ખોદકામ કરી માટીના વેચાણનું કૌભાંડ
ADVERTISEMENT
આ મામલે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારએ ખુલ્લેઆમ વહીવટી તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તળાવને ઊંડું કરવાની કામગીરીના બહાને ભૂ-માફિયાઓએ તળાવમાંથી કાઢવામાં આવેલી માટી અન્ય ખાનગી જમીનોમાં પુરાણ માટે ઉપયોગમાં લીધી છે, જેનાથી સરકારી સંપત્તિનો ગેરવપરાશ થયો છે.

ADVERTISEMENT
પૂર્વ ધારાસભ્યએ કરી તંત્રને રજૂઆત
આક્ષેપોને લઈને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર મહુધા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મામલતદારથી લઈને જિલ્લા કલેક્ટર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT

કલેક્ટર ફોન ઉપાડતા નથીઃ ઈન્દ્રજીતસિંહ
ADVERTISEMENT
ઈન્દ્રજીતસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ફોન પણ ઉપાડતા નથી. જેના કારણે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ ફેલાયો છે.
આ પણ વાંચોઃ લગ્નના એક સપ્તાહ પહેલા જ યુવતી ઘર છોડીને ફરાર, અને ભાઈનો Video વાયરલ
ADVERTISEMENT
સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.