શ્રાવણ મહિનામાં ભક્તો પર ભગવાન શંકર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. આ કારણ છે કે શ્રાવણમાં શિવભક્તિનું મહત્વ વધારે જોવા મળે છે. શ્રાવમાં ભગવાન ભોલેને ભક્તો મનાવતા રહે છે. દરેક ભક્ત પોતાની અલગ કોશિશ કરી રહ્યા છે.
ભક્તો માટે એક વાત જાણવી જરૂરી છે કે શ્રાવણમાં જો શિવજીને રુદ્રાભિષેક કરવામાં આવે તો તે સૌથી વધુ પ્રસન્ન થાય છે કેમકે શિવજીને તે સૌથી વધુ પસંદ છે. જો તમે તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો તમે આ રુદ્રાભિષેકની મદદ લઈ શકો છો. આજે અમે આપને જણાવીશું કે કઈ સાવધાની સાથે રુદ્રાભિષેક કરવો જોઇએ અને સાથે ક્યારે રુદ્રાભિષેક કરવાથી તેનું વિશેષ ફળ મેળવી શકાય છે.
નિયમ અને સાવધાની
- શિવજીનું નિવાસ જોયા વિના ન કરો રુદ્રાભિષેક, નહીં તો મળશે વિપરિત પરિણામ.
- મનોકામનાની પૂર્તિ માટે શિવજીનું નિવાસ સ્થાન અવશ્ય જુઓ.
- શુભમૂર્હૂતમાં કરાયેલી ઉપાસનાથી મનોકામના પૂર્ણ થાય છે.
ક્યારે કરવો રુદ્રાભિષેક?
દર મહિનાની શુક્લ પક્ષની બીજ અને નવમી તિથી પર, કૃષ્ણ પક્ષની પ્રતિપદા, અષ્ટમી અને અમાસના દિવસે, કૃષ્ણ પક્ષની ચોથ અને અગિયારસના દિવસે તથા પાંચમ અને બારસના દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે.