બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Signature bridge ready in Dwarka, cost of 900 crores, features

વિકાસની રફ્તાર / દેશ વિદેશથી દ્વારકા આવતા ભક્તો માટે ગુડ ન્યૂઝ: સિગ્નેચર બ્રિજ તૈયાર, 900 કરોડનો ખર્ચ, જાણો ખાસિયતો

Dinesh Chaudhary

Last Updated: 04:22 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dwarka news: 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યુ હતુ

  • સિગ્નેચર બ્રિજનું 25મીએ લોકાર્પણ 
  • PM મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ 
  • 900 કરોડના ખર્ચે તૈયાર થયો છે બ્રિજ 


દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

2.5 કિ.મી.ના બ્રિજનો 2017માં થયું હતો શિલાન્યાસ 
સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. બેટ-દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો. પરંતુ હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી બેટ-દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છેકે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યુ હતુ.

વાંચવા જેવું:  'કોઇને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હોતો', ચારણ-ગઢવી સમાજમાં રોષ ભભૂકતા અંતે ગીગા ભમ્મરના પુત્રએ માંગી માફી

શું છે આ બ્રિજની ખાસિયત?
2320 મીટર લાંબો ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi dwarka news signature bridge Inauguration દ્વારકા સિગ્નેચર બ્રિજ  સિગ્નેચર બ્રિજ dwarka signature bridge
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ