બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:21 AM, 26 December 2025
બાંગ્લાદેશમાં સતત વધી રહેલી અશાંતિ અને ખાસ કરીને અલ્પસંખ્યકો પર થતા હુમલાઓને લઈને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું દિલ દુઃખથી ભરાઈ ગયું છે. ક્રિસમસના પાવન અવસરે આપેલા પોતાના સંદેશમાં શેખ હસીનાએ બાંગ્લાદેશની વર્તમાન અંતરિમ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે જે રીતે દેશમાં અલ્પસંખ્યકો પર હુમલાઓ થઈ રહ્યા છે, તે સીધો ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો છે અને લોકશાહી મૂલ્યોનું ઘોર અપમાન છે.
ADVERTISEMENT

શેખ હસીનાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાંગ્લાદેશની હાલની સરકાર ગેરકાયદેસર રીતે સત્તા પર કાબિઝ થઈ છે અને તે તમામ ધર્મો તથા સમુદાયોને પોતાના ધર્મનું પાલન કરવાની મૂળભૂત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ગેર-મુસ્લિમ સમુદાય, જેમાં હિંદુઓ મુખ્ય છે, તેઓને નિશાન બનાવીને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોને જીવતા સળગાવી દેવાની જેવી ભયાનક ઘટનાઓ પણ સામે આવી છે, જે બાંગ્લાદેશના ઇતિહાસ પર કાળા ડાઘ સમાન છે.
ADVERTISEMENT
શેખ હસીનાએ પોતાના સંદેશમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બાંગ્લાદેશના લોકો આ અંધકારમય સમયને લાંબા સમય સુધી ચાલવા નહીં દે. તેમણે કહ્યું કે દેશની જનતા એક દિવસ જરૂર ઊભી થશે અને અન્યાય, હિંસા અને અત્યાચાર સામે અવાજ ઉઠાવશે. તેમના શબ્દોમાં, બાંગ્લાદેશની આત્મા હજુ જીવંત છે અને તે શાંતિ, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના માર્ગ પર ફરી વળશે.
Message of the Honorable Prime Minister and President of the Bangladesh Awami League, Bangabandhu’s daughter Sheikh Hasina, on the occasion of Christmas
— Bangladesh Awami League (@albd1971) December 25, 2025
—
Today, 25 December, on the occasion of Christmas, the greatest religious festival of the Christian community, I extend my… pic.twitter.com/cvjUoGaIhH
ADVERTISEMENT
ક્રિસમસના અવસરે શેખ હસીનાએ દુનિયાભરના ખ્રિસ્તી સમુદાયને પણ શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર, ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક તહેવારના દિવસે, તેઓ સમગ્ર વિશ્વના ઈસાઈ ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન આપે છે. શેખ હસીનાએ ઈસા મસીહના જીવન અને સંદેશને યાદ કરતા કહ્યું કે ઈસા માનવતાની મુક્તિના દૂત હતા, તેઓ પ્રકાશના પ્રતિક હતા. પોતાના અપાર બલિદાન દ્વારા તેમણે વિશ્વને શાંતિ, દયા અને પ્રેમનો સંદેશ આપ્યો. ભટકી ગયેલી માનવતાને સત્ય અને ન્યાયના માર્ગ પર પાછું લાવવાનો તેમનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે.
બીજી તરફ, બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થતી હિંસાની ઘટનાઓ થંભતી નથી, જે શેખ હસીનાના નિવેદનને વધુ ગંભીર બનાવે છે. તાજી ઘટનામાં રાજબારી જિલ્લાના પાંગ્શા ઉપઝિલામાં એક હિંદુ યુવકની ભીડ દ્વારા પીટપીટીને હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું કે ગુરુવારની રાતે અંદાજે 11 વાગ્યે કાલીમોહર યુનિયનના હોસેનડાંગા ગામમાં આ ઘટના બની. મૃતકની ઓળખ અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે કરવામાં આવી છે, જે એ જ ગામનો રહેવાસી હતો.
ADVERTISEMENT
પોલીસનું કહેવું છે કે અમૃત મંડલ પર જબરદસ્તી વસૂલીના આરોપ લાગેલા હતા અને આ કારણે ભીડે તેને માર માર્યો. જોકે, સ્થાનિક લોકો અને માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ ઘટના પાછળ ધાર્મિક દુષ્મનાવટ પણ એક મોટું કારણ હોઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીએ દીન દયાળ, શ્યામા પ્રસાદ અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું
શેખ હસીનાનું આ નિવેદન માત્ર એક રાજકીય પ્રતિક્રિયા નહીં, પરંતુ બાંગ્લાદેશમાં વધી રહેલી અસહિષ્ણુતા સામે એક ભાવુક ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમના શબ્દોમાં બાંગ્લાદેશ માટેનો દુઃખ, ચિંતા અને આશા સ્પષ્ટ રીતે ઝલકે છે, જે દર્શાવે છે કે દેશ આજે એક અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.