બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shankarsinh Vaghela said about alcohol ban in Gujarat
ADVERTISEMENT
તેમણે ગાંધી, સરદારના નામે બહુ થયું હોવાની વાત વાઘેલાએ કરી છે. દારૂબંધી હટાવવીએ સમયની માગ હોવાની વાત કરી રહ્યા છે. નવસારીમાં ગુણવત્તાવિહીન દારૂથી અનેક લોકના મોત થઈ રહ્યા છે ત્યારે સરકાર લોકોની વાત માને અને આ દારૂબંધીનું નાટક બંધ કરે.વાઘેલા પહેલા પણ કહી ચુક્યા છે કે તેમની સરકાર બનશે તો દારૂપરની પરવાનગી હટાવી લેવામાં આવશે.
દારૂબંધી અંગે છૂટ આપવા વીડિયો કર્યો હતો પોસ્ટ
ADVERTISEMENT
ગુજરાતમાં દારૂબંધી વિશે ગુજરાતના જ એક નેતાનો વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વીટર પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી અંગે છૂટ આપવાની માંગ કરી છે.
ગુજરાતમાં એક કિલોમીટર એવું નથી કે જ્યાં દારૂ ન મળતો હોય, સરકાર લોકોની વાત માને કારણ કે, દારૂબંધી હટાવવી એ હવે સમયની માંગ છે. pic.twitter.com/wHYzKS9ihZ
— Shankersinh Vaghela (@ShankersinhBapu) September 11, 2020
ADVERTISEMENT
ગુજરાતના CM રહી ચુકેલા અને હાલ NCPના પ્રેસિડેન્ટ શંકરસિંહ વાઘેલાએ ટ્વવીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધીની વાત કરીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે. તેમણે કહ્યુ છે કે , "જો મારી સરકાર આવશે તો સૌથી પહેલું કામ દારૂબંધીની આ ઢોંગી નીતિને તોડવાનું કરીશ. ૧૦૦ દિવસ મા કાયદો થશે અને કાયદો એવો થશે કે લોકોએ દારૂ પીવા દિવ-દમણ, આબુ, ગોવા, મુંબઇ કે રાજસ્થાન જવાની જરૂર નહી પડે.'
ADVERTISEMENT
દારૂબંધી મુદ્દે દંગલ
ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો વારંવાર સરકાર સામે સળગતા સવાલ ઉભા કરી રહ્યો છે. આ પહેલા પણ રાજસ્થાનના CM ગહેલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ વેચાય છે ના નિવેદનને પગલે આ મુદ્દો સળગી ઉઠ્યો હતો ત્યારે હાલ ગુજરાતમાં અબજોનો દારૂ વર્ષે પકડાય છે જેને પગલે CM રૂપાણીએ નિવેદન આપ્યુ હતુ. ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દારૂબંધીનો મુદ્દો ઉછાળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.