બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:52 PM, 26 February 2023
ADVERTISEMENT
શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકોને લાભ કરાવશે?
શનિ દેવ 15 માર્ચે સવારે 11 વાગ્યે 40 મિનિટે શતભિષા નક્ષત્રના પહેલા તબક્કામાં ગોચર કરવાના છે. અહીં શનિ 17 ઓક્ટોબર સુધી બિરાજમાન રહેશે. આવો જાણીએ કે શતભિષા નક્ષત્રમાં શનિનો ગોચર કઈ રાશિના જાતકોને લાભ આપવાનો છે.
ADVERTISEMENT
મેષ: નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે. પહેલેથી વ્યવસાય કરી રહેલા લોકો માટે આ સમયગાળો આર્થિક લાભ લઇને આવી શકે છે. શનિ મહારાજ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં શતભિષા નક્ષત્રમાં રહેશે. જેના પરિણામે મેષ રાશિના જાતકોને ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે.
મિથુન: જે લોકો લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ અથવા નોકરીનુ સપનુ જોઈ રહ્યાં છે, તેમની તમન્ના પૂરી થઇ શકે છે. કારકિર્દી મામલે ઘણા સારા પરિણામ મળશે.
સિંહ: શતભિષા નક્ષત્રમાં શનિની ઉપસ્થિતિ કારકિર્દીમાં સફળતા અને નોકરીમાં સ્થળાંતરના યોગ દર્શાવી રહી છે. નવી નોકરી શોધી રહેલા લોકો માટે સારી ઑફર મળી શકે છે.
તુલા: શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિના જાતકોને કારકિર્દીમાં સારા પરિણામ આપવાનો છે. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત શ્રેષ્ઠ રહેવાનો છે. પોતાનો વ્યવસાય કરનારા જાતકોને મોટો ધન લાભ થવાના અણસાર છે.
ધન: ધન રાશિ માટે પણ શનિનો આ નક્ષત્ર ગોચર શુભ રહેવાનો છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નોકરિયાત વર્ગને નોકરીમાં ઉન્નતિ અને આવકમાં વધારો મળી શકે છે.
મકર: શનિદેવનો શતભિષા નક્ષત્રમાં ગોચર વેપારી વર્ગના જાતકો માટે વધુ લાભદાયી સાબિત થશે. તમે સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ આગળ વધારવામાં સફળ રહેશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.