બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / sbi alert on pmsby policy check here all detail about this government policy

ફરિયાદ / શું તમારા ખાતામાંથી પણ 12 રૂપિયા કપાયાનો આવ્યો છે મેસેજ, જાણો કેવી રીતે મેળવશો પાછા

Premal

Last Updated: 02:47 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવારનવાર લોકોને બેંક પાસે ફરિયાદ રહે છે કે તેમના ખાતામાંથી પૈસા કેમ કાપી લેવામાં આવે છે. તેમણે કોઈ વ્યવહાર પણ કર્યો હોતો નથી. દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈ કારણ હોય છે, જેના આધારે પૈસા કાપી નાખવામાં આવે છે.

  • શું તમારા ખાતામાંથી 12 રૂપિયા કપાયા છે?
  • કેન્દ્ર સરકારની એક વિમા યોજના હેઠળ કપાય છે 12 રૂપિયા
  • 12 રૂપિયા જમા કરાવતા અપાય છે આકસ્મિક વિમો

SBIએ ટ્વિટર પર આપી માહિતી
અહીં જણાવવાનું કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર પૈસા કપાતા નથી. એવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ગ્રાહકોને જણાવ્યું છે કે ખાતાધારકો આ મામલે કેવીરીતે પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આ ઉપરાંત બેંક તરફથી 12 રૂપિયા કેમ કાપી નાખવામાં આવે છે,  તેની પાછળનું કારણ જાણીએ.

12 રૂપિયા કાપવા પાછળનું શું કારણ?
ખરેખર, 12 રૂપિયા એવા ખાતામાંથી કપાઈ રહ્યાં છે, જે ખાતાધારકોએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી કરાવી છે. આ કેન્દ્ર સરકારની એક વિમા યોજના છે. જેમાં લોકો વર્ષના 12 રૂપિયા જમા કરાવતા આકસ્મિક વિમો આપવામાં આવે છે અને દર વર્ષે રિન્યુ કરાવવુ જરૂરી છે.

ફરિયાદ કેવીરીતે કરશો?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને માહિતી આપી છે કે, જો તમને કોઈ વાંધો છે તો તમે તેની ફરિયાદ કેવીરીતે કરશો. બેંકે જણાવ્યું, તમને નિવેદન છે કે તમે આ લિંક પર પોતાની ફરિયાદ નોંધાવશો. તમારી મદદ કરવામાં અમને આનંદ થશે. https://crcf.sbi.co.in/ccf/ category Existing Customer (MSME/Agri Loans/Other Grievances ) >>General Banking>>Operation of Accounts >> Disputed Debit Credits.’

કારણ વગર પૈસા કપાતા નથી
ઉલ્લેખનીય છે કે, બેંક તરફથી કોઈ પણ કારણ વગર તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય તેવુ ક્યારેય બનતુ નથી. દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ હોય છે. જેમાં કોઈ ચાર્જ, ફી વગેરે જેવા ખર્ચા સામેલ હોય છે. પરંતુ દરેક ટ્રાન્જેક્શન પાછળ કોઈને કોઈ કારણ આધારભૂત હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ