ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Sardar@150 રાષ્ટ્રીય એકતા માર્ચમાં વડોદરાની યુવા શક્તિના દર્શન
Last Updated: 07:38 PM, 29 November 2025
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે Sardar@150 માર્ચમાં જોડાઈ, રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. “સરદાર પટેલનું એકતાનું સ્વપ્ન આજે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વધુ સશક્ત બન્યું છે તેવું સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી Sardar@150 રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
યુવાનો એક ભારતનાં સાચા દીપવાહક છે
સોનોવાલે જણાવ્યું હતું કે, દેશના યુવાનો “એક ભારત”ના સાચા દીપવાહક છે અને સરદાર પટેલે દર્શાવેલી રાષ્ટ્રીય એકતા આજે પણ દેશના દરેક નાગરિકને પ્રેરિત કરે છે. વડોદરામાં માર્ચના આગમન સમયે આરાણા લૉન્સ, સેવાસીમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.”
ADVERTISEMENT

આ પણ વાંચો: VIDEO : જિમમાં કસરત કરતાં છોકરી પર પડ્યું બારબેલ, કેમેરામાં કેદ થઈ દર્દનાક દુર્ઘટના
ADVERTISEMENT
આંકલાવથી શરૂ થઇ હતી યાત્રા
પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ, સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગીદાર થઈ હતી. યાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. MY Bharatના આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં દેશના 620થી વધુ જિલ્લાઓ અને 440 લોકસભા વિસ્તારોમાં 1,514 પદયાત્રાઓ યોજાઈ છે, જેમાં 15 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે અને કુલ 10,007 કિમીના રસ્તાઓથી પસાર થઈ છે. વડોદરામાં યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં “વિઠ્ઠલભાઈ – મણિબેન – સરદાર” થીમ પર આધારિત સરદાર ગાથા સાથે ગ્રામસભા, નૃત્ય નાટિકા અને ભજન સંધ્યા જેવી સાંસ્કૃતિક રજૂઆતો યોજાઈ હતી.
ADVERTISEMENT

અનેક અગ્રણીઓ રહ્યા હાજર
ADVERTISEMENT
આ અવસરે અનેક માનનીય આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં ડૉ. મન્સુખ માંડવિયા – કેન્દ્રીય યુવા અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી, અજય ટમ્ટા – કેન્દ્રીય રાજ્ય મંત્રી, શીશપાલ રાજપૂત – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન; ધારાસભ્યો જગદીશભાઈ મકવાણા, વિજયભાઈ પટેલ; સાંસદ હેમાંગ જોશી, જશુભાઈ રાઠવા તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઈ અમીન સહિતના આગેવાનો સામેલ થયા હતા.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ