બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / sanjay dutt stage 3 lung cancer

બોલીવૂડ / સંજય દત્તને લઈને આવી મોટી ખબર, અભિનેતાને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર : સૂત્ર

Kavan

Last Updated: 11:26 PM, 11 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે આવેલા ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે સારવાર અર્થે તેમને અમેરિકા લઇ જવામાં આવી શકે છે.

ફિલ્મ ઇન્ફર્મેશનના વેબસાઇટ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે બોલિવૂડ એક્ટર સંજય દત્તના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર હોવાનું સામે આવ્યું છે. તેમને હાલ આ બીમારી હાલ ત્રીજા તબક્કે છે. સંજય દત્ત આ ગંભીર બિમારીની સારવાર માટે વિદેશ જવા રવાના થશે. મળતી માહિતી મુજબ તે યુએસ અથવા સિંગાપોર જવા રવાના થશે.

ફિલ્મફેર અને KRK દ્વારા કરાઇ પુષ્ટિ

આ ટ્વિટ બાદ સંજય દત્તના ચાહકોના ફેન્સની ચિંતા વધી ગઈ છે. હવે તેમની કેન્સરની બીમારી વિશે સાંભળી ચાહકો પરેશાન છે અને સોશ્યલ મીડિયા પર તેની માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ફિલ્મ સમીક્ષક  કોમલ નાહટાએ સંજય દત્તને લઈને ટ્વિટ કર્યુ છે અને જેમાં તેમને ફેફસાનું કેન્સર હોવાની માહિતી આપી છે. જ્યારે બીજી બાજુ ફિલ્મફેર અને KRK દ્વારા પણ આ વિશે ટ્વિટ કરવામાં આવ્યું હતું. 

ટ્વીટ દ્વારા સાંજે ફિલ્મોમાંથી બ્રેક લેવાની કરી હતી જાહેરાત

બોલિવૂડ એક્ટર સંજય દત્તે એક નિવેદન આપ્યું અને કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે તે કામમાંથી બ્રેક લઇ રહ્યા છે. જોકે ગભરાવવાની જરૂર નથી. પરિવાર, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે. ખોટી અફવાઓ વિશ્વાસ ન કરવી. હું જલ્દી પાછો આવીશ. નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તબીબો એ તેમને આરામ કરવાની સલાહ આપી છે. 

સંજય દત્તની તબિયત સારી ન થવાના કારણે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે શૂટિંગને ટાળી દેવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મમાં અમુક દિવસની શૂટિંગ બાકી છે જેમાં સંજય દત્તે ત્રણ દિવસનું કામ કરવાનું બાકી છે.  

રવિવારે જ હોસ્પિટલમાંથી થયાં છે ડિસ્ચાર્જ

નોંધનીય છે કે રવિવારે સંજય દત્તને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જતી વખતે તે હાથ હલાવીને લોકોનો આભાર માનતા નજરે પડ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઠમી ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ સડક-2નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 29 વર્ષ પહેલા સડકની આ સિકવલ છે. આ ફિલ્મમાં 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે પરત ફર્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે અને આ સિવાય કેજીએફ 2 અને શમશેરામાં પણ સંજય દેખાશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ