ઍક્ટર સંજય દત્ત પોતાની પર્સનલ લાઈફને લઈને જાહેરમાં બોલવાનું પસંદ કરતો નથી. એ પછી વાત પત્ની માન્યતા અને બંને બાળકોની હોય કે પછી જન્મ બાદ અમેરિકામાં નાના-નાની સાથે રહેતી દીકરી ત્રિશલાની હોય. તે ક્યારે કોઈને લઈને પબ્લિકમાં કંઈ બોલતો નથી.
વચ્ચે જ્યારે એવું લાગી રહ્યું હતું કે ત્રિશાલા અને સંજય એકબીજાથી નજીક આવી રહ્યાં છે ત્યારે રિપોર્ટ્સ એવાં આવી રહ્યાં છે કે બંને વચ્ચે અંતર ઘટવાને બદલે વધી રહ્યું છે. હકીકતમાં હાલમાં જ સંજય દત્તે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેને દુનિયાભરના ચાહકોએ વિશ કર્યુ હતું પરંતુ ત્રિશાલા આ પ્રસંગથી દૂર રહી હતી.
પિતા સંજય દત્તના જન્મદિવસના કેટલાંક દિવસો પહેલાં જ ત્રિશાલાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેના બૉયફ્રેન્ડની અચાનક મોત થઈ ગઈ છે જેથી તે આઘાતમાં છે. કહેવાય છે કે આ ઈમોશનલ મોમેન્ટમાં પણ સંજયે તેના સાથે વાત ન કરી અને ન કોઈ રિએક્શન આપ્યું.
આ કારણથી ત્રિશાલા પણ સંજય દત્તના જન્મદિવસ પર કોઈ પણ પ્રકારની પોસ્ટ કે ખુશી જાહેર કરતી દેખાઈ નહીં. રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે સંજયે ત્રિશાલા માટે દરવાજા બંધ કરી દીધાં છે. કારણકે ન તો તેને ખ્યાલ છે કે તેની દીકરી કેમ છે અથવા તો તેની જીંદગીમાં શું ચાલી રહ્યું છે.
આ ઉપરાંત સંજય ક્યારેય પણ ત્રિશાલા સાથે ઈમોશનલ કનેક્શન બનાવી શક્યો નથી. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ કનેક્શન નથી. જેથી જ આ પરિબળો તેમની વચ્ચેના અંતરનું કારણ બની ગયું છે.