બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સુરત / Rupala's comments spread fire in the state, know what angry Kshatriyas had to say
Ajit Jadeja
Last Updated: 02:03 PM, 1 April 2024
Parasottam Rupala Gujarat: પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી. જ્યારે રૂપાલાના વિરોધની આગ સુરત જિલ્લા સુધી પહોંચી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રાજપૂત સમાજ એ મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ગામે ગામ પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં પણ વિરોધની આગ ઊઠી છે. ક્ષત્રિય હિતકરણી સભાના રાજપૂત આગેવાનો એનજી સર્કલ ખાતે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં હાજર લોકોએ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ કરી હતી.
પરષોત્તમ રૂપાલાનો વિરોધની આગ જામનગર પહોચી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે રાજપુત સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોટા વાગુદડ ગામે બેનર લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ભાજપના નેતાએ ગામમાં પ્રવેશ કરવો નહિ.
રૂપાલા સામે વિરોધને લઇ ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા એ જણાવ્યુ છે કે ક્ષત્રિય સમાજની વાચા સાચી છે,ક્ષત્રિયો સાથે અન્યાય થયો છે.ક્ષત્રિય સમાજની એક જ માગ રૂપાલાની ટિકીટ પરત ખેંચે,'ક્ષત્રિય સમાજ કાયમ મોદી સાથે પણ રૂપાલાના નિવેદનથી સમાજમાં રોષ' છે. 'હાલ ફક્ત ગુજરાતમાં વિરોધ છે પણ જરૂર પડશે તો દેશભરમાં વિરોધ કરીશું'.જો ઉમેદવાર નહીં બદલાય તો મહાઆંદોલનની તૈયારી છે. અમારો વિરોધ રૂપાલા સામે છે ભાજપ સામે નહી.રાજકોટ નહિ કોઈપણ જગ્યાએથી તેમને ટિકિટ ન મળવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog