બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / rohit sharma place in team india for t20 world cup is not yet clear said jay shah 2023

Sports / શું T20 વર્લ્ડકપ રમશે રોહિત શર્મા? BCCIએ કેપ્ટનને સ્પષ્ટ સૂચના આપી દીધી હોવાના સમાચાર: રિપોર્ટ

Manisha Jogi

Last Updated: 10:08 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023માં ફાઈનલમાં હાર થયા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડી આરામ પર છે. BCCI સચિવ જય શાહે રોહિત શર્મા બાબતે પણ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • રોહિત શર્મા અને વિરાટ કોહલી આરામ પર
  • BCCI સચિવ જય શાહે રોહિત શર્મા બાબતે નિવેદન આપ્યું
  • T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માને સ્થાન મળશે કે નહીં?

વર્લ્ડ કપ 2023માં ફાઈનલમાં હાર થયા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડી આરામ પર છે. આ બંને ખેલાડી સાઉથ આફ્રિકામાં રમવામાં આવી રહેલ ટેસ્ટ સીરિઝ દરમિયાન ફરી એકવાર રમી શકે છે. ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે, આ બંને ખેલાડી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ફરી ક્યારે જોવા મળશે. છેલ્લા ઘણા દિવસથી વિરાટ કોહલી બાબતે સમાચાર સામે આવ્યા હતા કે, BCCI કોહલીને T20 વર્લ્ડ કપના પ્લાનમાં શામેલ નથી કરી રહ્યું. BCCI સચિવ જય શાહે રોહિત શર્મા બાબતે પણ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

રોહિત શર્મા બાબતે મહત્ત્વપૂર્ણ અપડેટ
વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડીઝ અને USAમાં T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. આ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ભારતીય ટીમનો હિસ્સો રહેશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર જય શાહે પુષ્ટી કરી છે કે, રોહિત શર્માને T20 વર્લ્ડ કપમાં તેમની જગ્યા બાબતે કોઈ આશ્વાસન નહીં આપી શકાય, જેથી રોહિત શર્માના ફેન્સને ઝટકો લાગ્યો છે. 

જય શાહે વધુમાં જણાવ્યું છે કે, IPL અને વર્લ્ડ કપ પહેલા રમવામાં આવનાર T20 સીરિઝના આધાર નિર્ણય લેવામાં આવશે. T20 વર્લ્ડ કપ જૂન 2024માં શરૂ થશે, તે પહેલા IPL અને અફઘાનિસ્તાન સામે સીરિઝ રમવામાં આવશે. વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવા માટે ખેલાડીઓએ IPL તથા અન્ય ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું પડશે. છેલ્લા 3 વર્ષમાં રોહિત શર્મા IPLમાં બેટ્સમેન તરીકે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. 

રોહિત શર્માની મુશ્કેલીઓ વધી
રોહિત શર્માએ વન ડે વર્લ્ડ કપ દરમિયાન બેટ્સમેન અને કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. T20 ફોર્મેટમાં રોહિત શર્મા સારું પ્રદર્શન નથી કરી શકતા. T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે રોહિત શર્માએ IPLની સાથે સાથે ઈન્ટરનેશનલ સીરિઝ દરમિયાન પણ સારું પ્રદર્શન કરવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ