દુઃખદ / ઋષિ કપૂરના મૃતદેહને હોસ્પિટલથી સીધો સ્મશાન ગૃહ લઇ જવાશે, આટલા લોકો થશે સામેલ

Rishi Kapoor cremation in mumbai hospital

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે આજે સવારે મુંબઇમાં નિધન થયું હતું. ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ઋષિ કપૂરનો મૃતદેહ હોસ્પિટલથી સીધો સ્મશાન ગૃહ લઇ જવામાં આવશે.  ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમાને દિલ્હી પોલીસે મુવમેંટ પાસ આપ્યો છે. રિદ્ધિમાને મુંબઇ જવા માટે દિલ્હી પોલીસે મંજૂરી આપી છે. ઋષિ કપૂરની દિકરી રિદ્ધિમા કપૂર દક્ષિણ ઇસ્ટ દિલ્હીમાં આવેલ ફ્રેંડસ કોલોની ઇસ્ટમાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ