યસ બેંકને સંકટની પરીસ્થિતમાંથી કાઢવા માટે RBI પુનર્ગઠનન યોજના બનાવી છે. RBIએ એક નવી જાહેરાત પણ કરી છે. બેંકના શેર હોલ્ડર, જમાકર્તા અને રોકાણકારો દરેક લોકો સલાહ આપી શકે છે કે બેંકને આવી પરીસ્થિતમાંથી બહાર કેવી રીતે કાઢવી.
યસ બેંકને સંકટમાંથી કાઢવા માટે RBI લાવી યોજના
9 માર્ચ સુધી આઈડિયા શેર કરી શકો છો
સારા આઈડિયા પર RBI પગલા લેશે
યસ બેંકને સંકટમાંથી કાઢવા માટે ભારતીય રીઝર્વ બેન્કે પુનર્ગઠન યોજના સામે મૂકી છે. RBIની તરફથી લાવવામાં આવેલી ડ્રાફ્ટ સ્કીમમાં કહેવામાં આવેલુ છે કે બેંકના શેર હોલ્ડર્સ, જમાકર્તા અને રોકાણકારો દરેક લોકો સલાહ આપી શકે છે. કે આ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળવું. આ ડ્રાફ્ટ સ્કીમ યસ બેંક સાથે સાથે SBIને પણ મોકલવામાં આવી છે. અને આઈડિયા માર્ચ 2020 સુધીમાં બતાવવામાં આવશે. ત્યારબાદ RBI નિર્ણય લેશે.
બેંકની આ યોજનામાં બેંકનો શેયર કેપિટલ કેટલો હશે, બોર્ડ ઓફ ડીરેક્ટરની નિમણુક કઈ રીતે થશે, બેંકના અધિકારીઓ વગેરે વાતોનું આલેખન કરવામાં આવ્યું છે. અનેતમને જણાવી દઈએ કે RBIના ગવર્નર શક્તિકાંત દાસે ભરોસો આપ્યો છે કે યસ બેંકને જલ્દીથી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવામાં આવશે. અને યસ બેંકનું નિવારણ જલ્દીથી લાવવામાં આવશે. અને અમે 30 દિવસની તેમના માટે સમય સીમા નક્કી કરી છે. અને રિઝર્વ બેંક તરફથી આ દિશામાં ખુબ ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ શુક્રવારે યસ બેંકના ખાતાધારકોને ભરોસો આપ્યો છે કે તેમના પૈસા સુરક્ષિત છે. અને યસ બેંકથી જોડાયેલા મુદ્દાનું ઝડપથી નિવારણ લાવવામાં આવશે. આગળ વધતા તેમણે કહ્યું કે હું RBI સાથે સતત સંપર્કમાં છું. હું ભરોસો આપું છું કે યસ બેંકના તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે.