બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Republic Day Weekend historical places in India are best to visit on the occasion of Republic Day
Pravin Joshi
Last Updated: 08:10 PM, 23 January 2024
આ વર્ષે પ્રજાસત્તાક દિવસ શુક્રવારે હોવાથી લોકોને 3 દિવસનો લાંબો વીકએન્ડ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમે આ લોંગ વીકએન્ડ દરમિયાન ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો અને દેશભક્તિમાં ડૂબી જવા માંગો છો. તો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકો છો.
આ વર્ષે ભારત 26 જાન્યુઆરી 2024ના રોજ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા છે. દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 26મી જાન્યુઆરી એ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસ 'વિવિધતામાં એકતા' દર્શાવે છે. તેમજ આ દિવસે ભારતને આઝાદ કરાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર તમામ બહાદુર સૈનિકોને પણ યાદ કરવામાં આવે છે. આ વર્ષે 26 જાન્યુઆરી શુક્રવાર છે. આવી સ્થિતિમાં શુક્રવાર, શનિવાર અને રવિવારનો લાંબો વીકેન્ડ આવવાનો છે. તેથી જો તમે પણ દેશભક્તિની અનુભૂતિ કરવા માંગતા હોવ તો તમે ભારતના આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા જઈ શકો છો.
દિલ્હી
જો તમે ગણતંત્ર દિવસ પર ભવ્ય ઉજવણી જોવા માંગતા હોવ તો તમે દિલ્હી જઈ શકો છો. દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, કર્તવ્ય પથ પર ઔપચારિક પરેડ થાય છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનના ગેટથી શરૂ થાય છે. કર્તવ્ય પથને પાર કરીને ઇન્ડિયા ગેટ સુધી પહોંચે છે. આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા, સાંસ્કૃતિક અને સામાજિક વારસો દર્શાવે છે. ભારતીય સૈન્યની નવથી બાર વિવિધ રેજિમેન્ટ, નેવી અને એરફોર્સ સિવાય, તેમના તમામ ટ્રેપિંગ્સ અને સત્તાવાર શણગારમાં તેમના બેન્ડ સાથે માર્ચ પાસ્ટ કરે છે.
જલિયાવાલા બાગ
26મી જાન્યુઆરીના પ્રસંગે, તમે જલિયાવાલા બાગની પણ મુલાકાત લઈ શકો છો. જલિયાવાલા બાગ એ જ જગ્યા છે જ્યાં હજારો નિર્દોષ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જલિયાવાલા બાગ પંજાબના અમૃતસરમાં આવેલું છે અને આ જગ્યા શહાદતનું સૌથી મોટું પ્રતિક છે. અહીં તમે વાઘા-અટારી બોર્ડર પણ એક્સપ્લોર કરી શકો છો. પરેડ સિવાય અહીં રિટ્રીટ સેરેમની પણ જોઈ શકાય છે.
સાબરમતી આશ્રમ (ગુજરાત)
અમદાવાદમાં સ્થિત સાબરમતી આશ્રમ, સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીના જીવનની ઝલક આપે છે. ગણતંત્ર દિવસ નિમિત્તે અહીં અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમે અહીં ધ્વજવંદન સમારોહમાં પણ ભાગ લઈ શકો છો.
વધુ વાંચો : પ્રજાસત્તાક દિવસની પરેડમાં જવાનું વિચારી રહ્યાં છો? તો નોટ કરી લો ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની પ્રોસેસ
કારગિલ યુદ્ધ સ્મારક
પ્રજાસત્તાક દિવસના અવસર પર તમે લદ્દાખમાં સ્થિત કારગિલ યુદ્ધ સ્મારકની પણ મુલાકાત લઈ શકો છો. ભારતીય સેનાએ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં શહીદ થયેલા ભારતના બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog