બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અન્ય જિલ્લા / 'તમારા ઘરનું સંભાળો, સત્ય નહીં બદલાય', ભારત પર આરોપ લગાવનાર પાક.ને જવાબ

વર્લ્ડ / 'તમારા ઘરનું સંભાળો, સત્ય નહીં બદલાય', ભારત પર આરોપ લગાવનાર પાક.ને જવાબ

Vishal Khamar

Last Updated: 09:39 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ધાર્મિક લઘુમતીઓ અંગે પાકિસ્તાનના આરોપોને શખ્ત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમજ કહ્યું કે આવા નિવેદનો આપીને પોતાના દેશમાં લઘુમતી ઓ પર થતા ભયાનક અત્યાચારોને છુપાવી શકતું નથી.

સોમવારે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. ભારત ધાર્મિક લઘુમતીઓનું શોષણ કરે છે. મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાન આવા આરોપો લગાવીને પોતાના દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલ અત્યાચાર છુપાવી શકતું નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ આપેલ નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, અમે એવા દેશના નિવેદનોને નકારી કાઢીએ છીએ કે જેનો આ મુદ્દા પર રેકોર્ડ બધુ કહી શકે છે. પાકિસ્તાનમાં વિવિધ ધર્મોનાં લઘુમતીઓ પર ભયાનક અત્યાચાર એક વાસ્તવિકતા છે.

પાકિસ્તાને શું કહ્યું?

હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતમાં ધાર્મિક લઘુમતીઓને કથિત રીતે નિશાન બનાવવા પર ધ્યાન આપવાની અપીલ કરી હતી. તેમણે ક્રિસમસ સંબંધિત તોડફોડ અને મુસ્લિમો પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર, તેમણે 2015 ની દાદરી ઘટના, મોહમ્મદ અખલાકની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતમાં લિંચિંગના આરોપીઓને રક્ષણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ બહારથી દરવાજા બંધ કરીને 5 ઘરો સળગાવાયા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર જુલમ

ભારતે જવાબ આપ્યો

વિદેશ મંત્રાલયે ભારતના આંતરિક બાબતો પર પાકિસ્તાનની ટિપ્પણીઓને સખ્ત શબ્દોમાં નકારી કાઢી હતી. અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજ ફરકાવવા સામે પાકિસ્તાનના વાંધાના સંદર્ભમાં ભારતે કહ્યું કે, પાકિસ્તાનને બીજાઓને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી. જે બાદ રણધીર જયસ્વાલે પાકિસ્તાનના કટ્ટરતા, દમન અને લઘુમતીઓના દુવ્યવહારના રેકોર્ડની યાદ અપાવી હતી. ભારતે પાકિસ્તાનને પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે પોતાના નબળા માનવાધિકાર રેકોર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાને દંભી વાણી-વર્તન છોડીને પોતાના દેશની વાસ્તવિકતાઓ પર ધ્યાન આપવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan Ministry of External Affairs
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ