બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સમય આવશે ત્યારે ખબર પડી જશે' સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓને અડફેટે લીધાં
Last Updated: 02:05 PM, 15 June 2026
MP Mansukh Vasava Viral Video : ભરૂચના સાંસદ ફરી એકવાર પોતાના બેબાક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં યોજાયેલી એક બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પક્ષના કેટલાક લોકોના વર્તન અને કાર્યશૈલી અંગે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન તેમના નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
પોતાના જ પક્ષ સામે સાંસદ મનસુખ વસાવાનો પ્રહાર, વિરોધ પાર્ટી નહીં, આપણા જ લોકો કરે છે નુકસાન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2026
નર્મદાના ડેડિયાપાડા ખાતે જાનકી આશ્રમમાં યોજાયેલી બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને આગેવાનો સામે આકરા શબ્દોમાં પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો… pic.twitter.com/qOH1ylRIeC
વાસ્તવમાં જાનકી આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યું કે, બહારના વિરોધીઓ કરતાં ઘણી વખત પોતાના જ વર્તુળમાંથી ઊભા થતા અવરોધો વધુ પડકારરૂપ બનતા હોય છે. તેમણે કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાનો પણ સંકેત આપ્યો હતો.
ADVERTISEMENT

સાંસદે પોતાના સંબોધનમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને તેના સાથે જોડાયેલા લોકો અંગે પણ કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સમાજહિતના નામે કાર્ય કરવાની વાત કરનારાઓ જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હશે તો યોગ્ય સમયે આવા લોકોની હકીકત સામે લાવવામાં આવશે.
ADVERTISEMENT
મનસુખ વસાવાએ કહ્યું કે, તેઓ કોઈપણ પ્રકારના દબાણ કે વિરોધથી પ્રભાવિત થવાના નથી અને જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે. તેમણે એવો પણ સંદેશ આપ્યો કે પક્ષ કે હોદ્દા કરતાં સમાજ અને જનહિતને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમના નિવેદનોને રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે, કારણ કે તેમણે સીધા નામ લીધા વિના પક્ષની અંદર જ કેટલાક લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક દરમિયાન આપેલા સંકેતો આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.