બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:06 PM, 15 June 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પર એક ટ્વિટમાં, તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે થયેલી સર્વસંમતિને ખૂબ જ પ્રશંસનીય પગલું ગણાવ્યું. પીએમ મોદીના મતે, આ સંઘર્ષે ગંભીર વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી કરી હતી, જેના કારણે ઘણા દેશોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
ADVERTISEMENT
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આ શાંતિ કરારના અમલીકરણથી સમગ્ર પ્રદેશમાં સ્થિરતા પુનઃસ્થાપિત થશે. તે જહાજોની સલામત અવરજવર અને સમુદ્રમાં વેપાર માટેનો માર્ગ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ કરશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતને સંપૂર્ણ વિશ્વાસ છે કે બંને રાષ્ટ્રો બાકીના મુદ્દાઓ પર વાતચીત ચાલુ રાખશે, જેનાથી ભવિષ્યમાં એક સ્થાયી અને મજબૂત અંતિમ સમજૂતી થઇ શકે.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
— Narendra Modi (@narendramodi) June 15, 2026
India hopes that the implementation of this understanding will…
ADVERTISEMENT
નોંધનીય છે કે, બંને રાષ્ટ્રો વચ્ચે 107 દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધ બાદ આ શાંતિ કરાર પર અંતિમ કરાર થયો છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ઘરીબબાદીએ સરકારી ટેલિવિઝન પર ટેલિફોન કોલ દ્વારા પુષ્ટિ આપી હતી કે અમેરિકા સાથેનો કરાર હવે સંપૂર્ણપણે અંતિમ સ્વરૂપ પામી ગયો છે. બંને દેશો દ્વારા કરાર પર ઓફિશિયલ હસ્તાક્ષર આવતા શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં થવાની આશા છે.
આ પણ વાંચોઃ નીતિન ગડકરીનો મોટો નિર્ણય, પેટ્રોલ નહીં હવે ઇથેનોલથી ચાલશે વાહન, જાણો ક્યારથી મળશે?
ADVERTISEMENT
ઈરાની સરકારી મીડિયાએ અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર અંગે 14 મુદ્દાઓ ધરાવતા સમજૂતી કરાર (MOU) ના મુસદ્દાની વિગતો પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે. જોકે બંને દેશોએ આ મુદ્દાઓની ઓફિશિયલ પુષ્ટિ કરી નથી, અર્ધ-સરકારી સમાચાર એજન્સી મેહરના અનુસાર, કે ડ્રાફ્ટમાં બંને રાષ્ટ્રોના હિતોને લગતા ઘણા મુખ્ય ઘટકો સામેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.