બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે પુત્રદા અગિયારસ, ભૂલથી પણ ન કરતાં આ કામ, નહીંતર વિધ્ન પર વિધ્ન આવશે

ધર્મ / આજે પુત્રદા અગિયારસ, ભૂલથી પણ ન કરતાં આ કામ, નહીંતર વિધ્ન પર વિધ્ન આવશે

Last Updated: 08:02 AM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વર્ષની પહેલી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશી છે. આ દિવસે વિધિ અનુસાર વ્રત રાખવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

આજે વર્ષની પહેલી એકાદશી એટલે કે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન અનુસાર, પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુત્રદા એકાદશીનું વ્રત વર્ષમાં બે વાર કરવામાં આવે છે - પોષ શુક્લ પક્ષ અને શ્રાવણ શુક્લ પક્ષ. એવું કહેવામાં આવે છે કે વિધિ અનુસાર પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ચાલો જાણીએ કે પોષ પુત્રદા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ.

Dev Uthani Ekadashi

શાસ્ત્રો અનુસાર, પોષ પુત્રદા એકાદશીના દિવસે દાળ અને અનાજનું સેવન ન કરવું જોઈએ. પણ આ દિવસે ફળ-દૂધ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

પુત્રદા એકાદશીના દિવસે તામસિક ભોજન જેમ કે નોનવેજ અને દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે એકાદશીના દિવસે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા થતી નથી.

એકાદશીના વ્રતના દિવસે પારણા પહેલા ઉપવાસ તોડવો જોઈએ નહિ. આવું કરવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પારણા પહેલા ઉપવાસ તોડવાથી અશુભ પરિણામ મળે છે.

PROMOTIONAL 12

એકાદશીના દિવસે મન એકદમ શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ દિવસ એકોઈની સાથે લડાઈ-ઝઘડો કરવો જોઈએ નહીં અને આ દિવસે કોઈને ખરાબ બોલવું પણ ન જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા થતી નથી.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન કાળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ દિવસે કાળા રંગના કપડાં પહેરીને પૂજા કરવી પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે ભવન વિષ્ણુની પૂજામાં લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ.

આ પણ વાંચો: આજે અટકેલા કામ પૂરા થશે, આ જન્મતારીખ વાળા લોકોને મળશે પ્રગતિની અનેક તકો

ક્યારે થશે પુત્રદા એકાદશીના વ્રતના પારણા

હિંદુ પંચાંગ અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત આજે 10 જાન્યુઆરીએ રાખવામાં આવશે. આ વ્રતના પારણા 11 જાન્યુઆરીએ સવારે 7.15 થી 8.21 સુધીમાં કરવા શુભ રહેશે. માન્યતા અનુસાર, પોષ પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની કામના અને એની ખુશી માટે રાખવામાં આવે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Putrada Ekadashi 2025 Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ