કાચા મગને ન્યુટ્રીશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે. કાચા મગને દરરોજ ડાયટમાં સામેલ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. કાચા મગ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે તમને ઘણી બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કાચા મગ તમારા આરોગ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. કાચા મગને કાચા ખાવા તમારા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
કાચા મગ તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો દાવો
કાચા મગ ખાવાથી તમારું આરોગ્ય બગડી શકે છે
કાચા મગ ખાવાથી તમારું હેલ્થ બગડી શકે
અમેરિકન હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, મગને ક્યારેય કાચા ના ખાવા જોઈએ. કાચા મગ ખાવાથી તમારું આરોગ્ય બગડી શકે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ, કાચા મગનું સેવન તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મગ બીજમાંથી ઉગે છે. ઘણી વખત અંકુરણની પ્રક્રિયા દરમ્યાન તેમાં ઈ.કોલાઈ અને સેલ્મોનેલા જેવા હાનિકારક બેકટેરિયા જન્મે છે. આ બેક્ટેરિયા કોઈ પણ ચીજમાં હોઈ શકે છે. પરંતુ જે રીતે મગ ઉગાડવામાં આવે છે તેમાં બેકટેરિયાનું જોખમ વદારે હોય છે. એફડીએ ચેતવણી આપતા કહ્યું કે જો બીજની બહાર અને બીજમાં કોઈ હાનિકારક બેકટેરિયા હોય છે તો તે અંકુરણ દરમ્યાન ઘણા વધી શકે છે. ઘર પર વાવવામાં આવેલા મગમાં પણ આ જોખમ રહેલુ છે.
થશે ફૂડ પોઈઝનિંગની સમસ્યા
સીડીસી મુજબ, બેકટેરિયાની સાથે વાવેલા મગને કાચા ખાવાથી તમને ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઇ શકે છે. જો તમે મગને સારી રીતે પકવીને નથી ખાતા તો તેનાથી તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મગને સારી રીતે પકવીને ખાવાથી તેમાં રહેલા બેકટેરિયા મરી જાય છે. એફડીએની સલાહ છે કે મગને ખાતા પહેલા પાણીમાં સારી રીતે ધોઈ નાખવા જોઈએ. જેને કારણે બેકટેરિયા ઓછા થઇ જાય છે. પરંતુ સીડીસીનું કહેવુ છે કે ફક્ત ધોવા જ પૂરતા નથી. બેકટેરિયાને સંપૂર્ણ રીતે મારવા માટે મગને પકવવા અત્યંત જરૂરી છે.