બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'રાહુલ તેમના પપ્પાને લાવે તો પણ કલમ 370 ન હટી શકે' CM ભજનલાલની જીભ લપસી

રાજસ્થાન પેટાચૂંટણી / 'રાહુલ તેમના પપ્પાને લાવે તો પણ કલમ 370 ન હટી શકે' CM ભજનલાલની જીભ લપસી

Last Updated: 11:25 AM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટાચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ચૂંટણી જનસભાને સંબોધતિ વખતે કહ્યું કોંગ્રેસ કલમ 370 હટાવનારાઓના વિરોધમાં ઉભી છે. પરંતુ હું કહું છું કે રાહુલ ગાંધી તો શું તેમના પપ્પા પણ ઉપરથી નીચે આવી જાય તો પણ હવે કલમ 370ની સ્થિતિ બદલાઈ શકે નહીં.

રાજસ્થાનમાં સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને આ દિવસોમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ પોતપોતાના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ટોંક જિલ્લાની દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જરના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમની જીભ લપસી. તેમણે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટે.

આ દરમિયાન સીએમ ભજન લાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 હટાવવાના પ્રસ્તાવ અને સદનમાં મારપીટ અને ઝપાઝપીની ઘટનાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સીએમએ કહ્યું કે કોંગ્રેસ કલમ 370 હટાવનારાઓના વિરોધમાં ઉભી છે.

PROMOTIONAL 7

આ શું બોલી ગયા CM ભજનલાલ?

મુખ્યમંત્રી ભજન લાલે કહ્યું, 'ગઈકાલે તેમ જોયું હશે કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના લોકો એ લોકોની સાથે ઉભા છે જેઓ કહી રહ્યા છે કે તેઓ કલમ 370 હટાવી દેશે. શું તે હટાવી શકશે? હું તમને પૂછવા માંગુ છું. રાહુલ ગાંધી, તમારી વાત તો છોડી દો, તમે તમારા પપ્પાજીને પણ લઈને આવો તો પણ કાશ્મીરમાંથી કલમ 370 નહીં હટાવી શકે.' સીએમ ભજન લાલે કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયોમાંનો એક ગણાવ્યો.

આ પણ વાંચો: 'પાકી ગઈ છે ભાજપની ફસલ, લાગ્યાં છે કીડા, દવા છાંટવી પડશે' નીતિન ગડકરીએ તાક્યું નિશાન

આ દરમિયાન સીએમ ભજનલાલે કહ્યું, 'અમે રામ મંદિરની તારીખ પણ જણાવી અને મંદિરનું નિર્માણ પણ કરાવ્યું. કોંગ્રેસ દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. કોંગ્રેસને નફરતની ભાષા ગમે છે. રાજસ્થાનમાં કન્હૈયા લાલનું મૃત્યુ થયું ત્યારે આ કોંગ્રેસીઓ મોં પર ટેપ લગાવીને બેસી ગયા હતા.' જણાવી દઈએ કે રાજસ્થાનની ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલૂમ્બર અને રામગઢ સીટ પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan By-Election Article 370 Rajasthan CM Bhajanlal Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ