બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશભરમાં વરસાદી આફત, આસામમાં પૂર, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન, કેટલાય રાજ્યોમાં વધ્યો ખતરો

photo-story

6 ફોટો ગેલેરી

નેશનલ / દેશભરમાં વરસાદી આફત, આસામમાં પૂર, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન, કેટલાય રાજ્યોમાં વધ્યો ખતરો

Last Updated: 06:40 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસાના અનિયમિત અને ભારે વરસાદે દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતનું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં ભૂસ્ખલન થઇ રહ્યું છે, નદીઓ ઉફાન મારી રહી છે અને રોડ રસ્તા પણ તૂટી રહ્યા છે.

1/6

photoStories-logo

1. વરસાદે મચાવ્યો હાહાકાર

આ વર્ષે ચોમાસાના વરસાદે દેશના અનેક વિસ્તારોમાં ભારે હાહાકાર મચાવ્યો છે. જેમાં અસમ, જમ્મુ-કશ્મીર અને નાગાલેન્ડમાં સતત જોરદાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અસમમાં બ્રહ્મપુત્ર નદી તેની સહાયક નદીઓ સાથે ઉફાન મારી રહી છે, જ્યારે જમ્મુ-કશ્મીરના પહાડી વિસ્તારોમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનેક લોકોએ ગુમાવ્યા જીવ

આ કુદરતી આફતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો પરિવારો વિસ્થાપિત થયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. સતત વરસાદથી અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે, પુલોને નુકસાન થયું છે અને વીજળી તેમજ મોબાઇલ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. અનેક ગામોનો બીજા વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અસમમાં સૌથી વધુ વિનાશ

અસમ હાલમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં પૂરમાં અત્યાર સુધીમાં 41લોકોના મોત થયા છે અને આશરે 6.53 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. હજારો લોકોને તેમના ઘર છોડીને રાહત કેમ્પમાં આશરો લેવો પડ્યો છે. જેમાં શિવસાગર, ચરાઇદેવ, ગોલાઘાટ અને જોરહટ જિલ્લાઓમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ જિલ્લાઓના 939 ગામો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. અને 24હજાર હેક્ટરથી વધુ જમીન પર પાક પર અસર પડી છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની આશંકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જમ્મુ-કશ્મીરમાં ભૂસ્ખલનનો કહેર

જમ્મુ-કશ્મીરમાં સતત વરસાદને લીધે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યા છે. જેમાં 20 જુલાઈના રોજ પુંછ જિલ્લામાં સૌથી મોટી દુર્ઘટના બની, જ્યાં એક જ કુટુંબના 7 સભ્યો (બે નાના બાળકો સહિત)ના મોત થયા. જેમાં આખા રાજ્યમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. તેમાં પુંછ અને રાજૌરી જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. તો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બીજા દિવસે પણ બંધ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નાગાલેન્ડમાં ભારે નુકસાન

નાગાલેન્ડમાં પણ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેમાં 9 લોકોના મોત થયા છે. જેમાં અમુક વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સતત વરસાદને કારણે નવા ભૂસ્ખલનનું જોખમ યથાવત્ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હજુ પણ ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના અનુસાર સક્રિય મોનસૂન અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં નદી-નાળા અને પહાડી વિસ્તારોમાં લોકોએ વધુ સાવધાની રાખવી જોઈએ અને વહીવટી તંત્રની સલાહનું પાલન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

landslides Heavy damage heavy rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ