બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રાહુલ ગાંધીએ ઝિપલાઇન એડવેન્ચરનો કર્યો અનુભવ, બહેન પ્રિયંકાને પણ આપ્યો ટાસ્ક, જુઓ વીડિયો
Last Updated: 06:48 PM, 13 November 2024
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવા માટે પડકાર આપ્યો છે. કોંગ્રેસ નેતાએ બુધવારે તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કેરળની સૌથી લાંબી ઝિપલાઈન પર સવારી કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે જુલાઈમાં કેરળના મેપ્પડીના ચૂરમાલામાં ભૂસ્ખલન અને પૂર આવ્યું હતું.
ADVERTISEMENT
આ કુદરતી આફતમાં 200 થી વધુ લોકોના મોત થયા હતા અને મોટા પાયે નુકસાન થયું હતું. હવે ધીમે ધીમે લોકો આ તબાહીમાંથી આગળ વધી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. તમને જણાવી દઈએ કે આજે વાયનાડમાં પેટાચૂંટણી છે. અહીંના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, તેઓ ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ અને એલડીએફના ઉમેદવાર સત્યન મોકેરી સામે લડી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
ADVERTISEMENT
મંગળવારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરોએ કરપુઝા ડેમ સાઇટ પર સ્થિત ઝિપલાઇનની મુલાકાત લીધી હતી. અહીં તે ઝિપલાઈનમાં કામ કરતા લોકોને મળ્યો, વિસ્તારના દુકાનદારો અને હોટલ સંચાલકો સાથે વાત કરી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
On Congress General Secretary Smt. @priyankagandhi ji's campaign trail in Wayanad, LoP Shri @RahulGandhi connected with some truly inspiring locals.
— Congress (@INCIndia) November 12, 2024
Despite recent challenges, the people of Wayanad remain resilient. They've developed incredible attractions—including South… pic.twitter.com/kG1mqOx1sN
ADVERTISEMENT
પૂર પછી પણ લોકોએ હાર ન માની
વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડમાં પ્રિયંકાના ચૂંટણી પ્રચાર દરમિયાન મને કેટલાક ખરેખર પ્રેરણાદાયી સ્થાનિક લોકો સાથે જોડાવાની તક મળી. તેમણે કહ્યું કે તાજેતરના પડકારો છતાં, સ્થાનિક લોકોએ હાર માની નથી, તેઓ આગળ વધવા માટે અવિશ્વસનીય આત્મવિશ્વાસ ધરાવે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 'ઈન્દીરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવે તો પણ કલમ 370 પાછી નહીં આવે', અમિત શાહની ગર્જના
વાયનાડને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવું પડશે
ADVERTISEMENT
વીડિયોમાં રાહુલ ગાંધી સ્થાનિક લોકો સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે વાયનાડમાં કોઈ સમસ્યા નથી. ભૂસ્ખલન એક સ્થાનિક ઘટના હતી, તેથી પ્રવાસનને નુકસાન ન થવું જોઈએ. તેમણે પ્રિયંકા ગાંધીને વાયનાડને પ્રવાસન સ્થળ બનાવવાની જવાબદારી સોંપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.