બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 200 રસ્તાઓ જામ, 160 ટ્રેનો રદ, ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, એકસાથે અનેક સેવાઓ પ્રભાવિત
Last Updated: 10:22 AM, 30 December 2024
ખેડૂત સંગઠનોએ આજે 10 કલાકનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે જે આજે સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ મુદ્દે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ પણ છેલ્લા 35 દિવસથી ઉપવાસ પર છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે. દરમિયાન, સવારે 7 વાગ્યે, ખેડૂતોએ પંજાબના મોહાલીમાં એરોસિટી રોડ પર જતા મુખ્ય માર્ગ અને રેલવે લાઇનને બ્લોક કરી દીધી હતી.
ADVERTISEMENT
આ બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે પંજાબ બંધને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પડી છે જેમાં પંજાબ ટ્રાફિક પોલીસે લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે. બંધને ધ્યાનમાં રાખીને પંજાબમાં રોડ અને ટ્રેન ટ્રાફિકને ખાસ્સી અસર થઈ છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 163 ટ્રેનો રદ કરવામાં આવી છે. આખા પંજાબમાં લગભગ ચાર કલાક સુધી સરકારી બસો દોડશે નહીં. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 1 હજારથી વધુ બસોના પૈડા સંપૂર્ણ રીતે બ્લોક થઈ જશે.
શું છે ખેડૂતોની માંગ?
ADVERTISEMENT
વધુ વાંચો: મોદી સરકાર એક્શનમાં: નવા સિમ કાર્ડના આ નવા નિયમો જાણી લેજો, નહીં તો થઇ જશો બ્લેકલિસ્ટ
ADVERTISEMENT

ખેડૂતોને બંધમાં જોડાવા અપીલ
ADVERTISEMENT
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગઈકાલે હરિયાણાના હિસારમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ખેડૂત મોરચાને એક થઈને આંદોલનને આગળ વધારવાની અપીલ કરવામાં આવી હતી. કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય)ના સંયોજક અને ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અને કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ હિસાર મહાપંચાયત પહોંચ્યા. તેમણે પંજાબના લોકોને આજે મનાવવામાં આવી રહેલા પંજાબ બંધમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.