બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 200 રસ્તાઓ જામ, 160 ટ્રેનો રદ, ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, એકસાથે અનેક સેવાઓ પ્રભાવિત

Punjab Bandh Today / 200 રસ્તાઓ જામ, 160 ટ્રેનો રદ, ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, એકસાથે અનેક સેવાઓ પ્રભાવિત

Last Updated: 10:22 AM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત સંગઠને આજે ​પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂતો દ્વારા પંજાબ બંધનું આજે 10 કલાક માટે એલાન કરવામાં આવ્યું છે. પંજાબ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન સેવા ખોરવાઈ શકે છે તો સાથે યાતાયાત માટે રોડ પણ બંધ રહેશે, જેના લીધે લોકોને ભારે હળકીનો સામનો કરવો પડશે, તો આજે ફરીએકવાર પંજાબમાં ખેડૂતોએ આ આંદોલન MSP સહિત અન્ય 13 માંગણીઓને પૂરી કરવા માટે કર્યું છે.

ખેડૂત સંગઠનોએ આજે ​​10 કલાકનો બંધ પાળવાનો નિર્ણય કર્યો છે જે આજે સાંજે 4 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ મુદ્દે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ પણ છેલ્લા 35 દિવસથી ઉપવાસ પર છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખવા માટે ગાંધીવાદી માર્ગને અનુસરી રહ્યા છે. દરમિયાન, સવારે 7 વાગ્યે, ખેડૂતોએ પંજાબના મોહાલીમાં એરોસિટી રોડ પર જતા મુખ્ય માર્ગ અને રેલવે લાઇનને બ્લોક કરી દીધી હતી.

આ બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને જવાની મંજૂરી આપવામાં આવી છે. આજે પંજાબ બંધને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પડી છે જેમાં પંજાબ ટ્રાફિક પોલીસે લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે. બંધને ધ્યાનમાં રાખીને પંજાબમાં રોડ અને ટ્રેન ટ્રાફિકને ખાસ્સી અસર થઈ છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે, જ્યારે 163 ટ્રેનો રદ કરવામાં આવી છે. આખા પંજાબમાં લગભગ ચાર કલાક સુધી સરકારી બસો દોડશે નહીં. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી 1 હજારથી વધુ બસોના પૈડા સંપૂર્ણ રીતે બ્લોક થઈ જશે.

શું છે ખેડૂતોની માંગ?

  • MSP પર ખરીદીની ગેરંટીનો કાયદો.
  • સ્વામીનાથન કમિશન મુજબ ભાવ.
  • જમીન સંપાદન કાયદો 2013 લાગુ કરવો જોઈએ.
  • આંદોલનને લગતા કેસ પાછા ખેંચવા જોઈએ.
  • ખેડૂતોની લોન માફ કરવી જોઈએ અને પેન્શન આપવું જોઈએ.
  • સરકારે પાક વીમા યોજનાનું પ્રિમિયમ ચૂકવવું જોઈએ.
  • માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને નોકરી.
  • લખીમપુર ઘટનાના દોષિતોને સજા થવી જોઈએ.
  • મનરેગામાં 200 દિવસનું કામ, રૂ. 700. મજૂરી.
  • નકલી બિયારણ અને ખાતર પર કડક કાયદો.
  • મસાલાની ખરીદી પર કમિશનની રચના.
  • ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર.
  • મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

વધુ વાંચો: મોદી સરકાર એક્શનમાં: નવા સિમ કાર્ડના આ નવા નિયમો જાણી લેજો, નહીં તો થઇ જશો બ્લેકલિસ્ટ

ખેડૂતોને બંધમાં જોડાવા અપીલ

ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ગઈકાલે હરિયાણાના હિસારમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ખેડૂત મોરચાને એક થઈને આંદોલનને આગળ વધારવાની અપીલ કરવામાં આવી હતી. કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય)ના સંયોજક અને ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અને કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ હિસાર મહાપંચાયત પહોંચ્યા. તેમણે પંજાબના લોકોને આજે મનાવવામાં આવી રહેલા પંજાબ બંધમાં મોટી સંખ્યામાં ભાગ લેવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjab Bandh Punjab Bandh Today Farmer Protest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ