બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
VTV / Prime Minister Modi is returning to the country after a total of 6 days of foreign travel
Dinesh
Last Updated: 10:26 PM, 24 May 2023
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદી કુલ 6 દિવસીય વિદેશ યાત્રા બાદ દેશ પરત ફરી રહ્યા છે. દુનિયાના તમામ ન્યૂઝ પેપરના શીર્ષ સ્થાન પર પ્રધાનમંત્રી મોદીની આ વિદેશ યાત્રા ચિત્રિત થઈ. તો આ વિદેશયાત્રા દરમિયાન PM મોદી દુનિયાના અનેક દિગ્ગત નેતા, ઉદ્યોગપતિઓથી મળ્યા છે. ત્યારે ભારતને આ યાત્રાથી શું લાભ થયું તે જાણીએ.
6 દિવસથી વિદેશ યાત્રા
વિશ્વ લીડરની છબી ધરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતન પરત ફરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી છેલ્લા 6 દિવસથી વિદેશ યાત્રા પર હતા. વિદેશ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જાપાન, પાપુઆ ન્યુ ગીની સહિત ઓસ્ટ્રેલિયાની મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગત બદલ તેમને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીજના વખાણ કરી ટી20 વર્લ્ડ કપ દરમિયાન દીવાળીના સમય ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
ADVERTISEMENT
ક્વાડ સમ્મેલનમાં PM મોદીએ શિરકત કરી
પ્રધાનમંત્રી મોદીએ વિદેશ યાત્રાની શરૂઆત 19 મેના રોજથી જાપાનથી કરી હતી. હિરોશિમા શહેરમાં આયોજિત G7 સમિટ પછી ક્વાડ સમ્મેલનમાં PM મોદીએ શિરકત કરી હતી. અનેક દેશો સાથે દ્વિપક્ષીય વાતચીતને પૂર્ણ કરી PM મોદી અંતમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં PM મોદીએ 20 ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. PM મોદીની આ વિદેશ યાત્રા દરમિયાન તેઓ વિશ્વભરના કુલ 13 પ્રધાનમંત્રી, 9 રાષ્ટ્રપતિ અને અનેક અભિનેતાઓ સહિત ઉદ્યોગપતિઓને મળ્યા. આ યાત્રા દરમિયાન PM મોદીએ અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશયાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીને પાપુઆ ન્યુ ગીનીમાં કુલ ત્રણ સર્વેોચ્ય નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અમેરિકા, ફ્રાન્સ, જાપાન સહિત અનેક દેશો રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત બાદ અનેક મહત્વના ક્ષેત્રે ચર્ચા પણ થઈ હતી ત્યારે નિષ્ણાંતો પ્રધાનમંત્રીની આ મુલાકાતને અનેક મુદ્દાઓ સાથે જોડી રહ્યા છે.
PMની વિદેશનીતિ, વિશ્વ પ્રભાવિત
પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જ્યારે PM મોદીના પગે પડ્યા તો દુનિયાએ નોંધ લીધી, તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને PM મોદીથી ઓટોગ્રાફ માંગ્યો તો દુનિયા ફરીએવાર સ્તબ્ધ થઈ છે. PM મોદી દુનિયાના તમામ વિકાસશીલ અને ગરીબ દેશોને સાથે લાવી વિશ્વમાં ભારતનો વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીની વિદેશનીતિથી સમગ્ર વિશ્વ પ્રભાવિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.