બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Pramuch Swami Shatabdi Mohotsav from today

રૂડો અવસર / PSM 100: મહંત સ્વામીએ PM મોદીને આપી ખાસ ભેટ, આવતીકાલથી 1 મહિના સુધી લોકો પ્રમુખનગરીનો વિહાર કરી શકશે

Dinesh

Last Updated: 11:33 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ; વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન

  • આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ
  • PM મોદી અને મહંત સ્વામીની નિશ્રામાં શતાબ્દી મહોત્સવ
  • ભારત અને વિદેશોમાંથી લાખો લોકો ઊમટ્યા

 

પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં.

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમના અંતમાં મહંત સ્વામીએ PM મોદીને પ્રમુખસ્વામીજીની મૂર્તિ તેમજ જીવન કમળની ખાસ ભેટ આપી હતી, જુઓ ફોટા

 (8:26 PM)

અંતર મનની યાત્રા છે તે સંત પરંપરા સાથે રહી છે: PM મોદી
PM મોદી કહ્યું કે, મને હંમેશા પ્રમુખ સ્વામીજીની કમી મસુસ થાય છે. તેમણે કહ્યું કે, તેમની પાસે બેસવાનું સારૂ લાગતું હતું જેમ કે, થાકેલા હોઈ અને વૃક્ષ નીચે બેસીયે અને થાક ઉતરી જાય તેવો અને એક જ્ઞાનના ભંડારમાં બેસેલો હોઉ તેવો મસુસ થતું હતું તેમણે જણાવ્યું કે, મારા અંતર મનની યાત્રા છે તે સંત પરંપરા સાથે રહી છે.માં આધ્યાત્મિક પરંપરા સાથે રહી છે 

 (8:15 PM)

પેનને લઈ PM મોદીએ કરી આ ખાસ વાત

PM મોદીએ કહ્યું કે, 2012માં મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ તેમની પાસે ગયો છો. તેમણે કહ્યું કે, 2002માં ચૂંટણી લડવી હતી અને નામાંકન દાખલ કરવું હતું અને રાજકોટથી ચૂંટણી લડતો હતો અને ત્યાં નામાંકન દાખલ કરવા ગયો ત્યારે બે સંત આવ્યા અને તેમણે મને એક બોક્સ આપ્યો મેં ખોલીને જોયું તો અંદર એક પેન હતી અને એ સંતોએ મને કહ્યું કે, આ પેન પ્રમુખ સ્વામીજીએ મોકલી છે અને તેમણે કહ્યું છે કે, નામાંકનમાં સહી આ પેનથી કરવા કહ્યું છે. PM મોદીએ કહ્યું કે, તે ચૂંટણીથી લઈ અને કાશી ચૂંટણી સુધી ગયો પરંતુ અજી સુધી એવું નથી થયું કે હું નામાંકન દાખલ કરવા ગયો અને પ્રમુખ સ્વામીજીના માણસો પેન લઈને ઉભા ન હોય.

 (8:00 PM)

PM મોદીનું સંબોધન
PM મોદીએ જણાવ્યું કે, આ ઈતિહાસિક કાર્યક્રમમાં સાથી, સાક્ષી અને સત્સંગી બનાવાનો લાવો મળ્યો એ મારો સદભાગ્ય છે તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ આપણી વિરાસત જણાવે છે. આ કાર્યક્રમ દિવ્યતાની અનુભૂતિ છે, અહીં  ભારતનો રંગ દેખાય છે. તેમણે કહ્યું કે, આ નગર બનાવ્યો છે જેમાં સંતપરંપરાના દર્શન થઈ રહ્યાં છે. 

PM મોદીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ મારા પિતા તુલ્ય છે, બાલ્યવ્યસ્થામાં પણ પ્રમુખ સ્વામીના દૂરથી દર્શન કરવાનું સારૂ લાગતું હતું પરંતુ નજીકથી દર્શન થશે એવું વિચાર્યું ન હતું પરંતુ પહેલી વખત મુલાકાત થઈ ત્યારે તેમના એક એક શબ્દ મારા હર્દયમાં ઉતરતા ગયાં.

 (7:30 PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રવચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વખતે મુખ્યમંત્રી બન્યા પછી આ મારો પહેલો કાર્યક્રમ છે. તેમણે ક્યું કે, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભોને મજબૂત કરવાનો કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામમનું નિર્માણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે તે ભારતીય સંસ્કૃતિના એક સિમા ચિહ્ન બની ગયા છે તેમણે કહ્યું આ પવિત્ર પરિસરોના વર્ષે લાખો લોકો દર્શને આવે છે. તેમણે કહ્યું આવનારી અનેક પેઢીઓ પ્રમુખ સ્વામી મહારજને વંદન કરતી રહેશે. તેમણે કહ્યું કે, પ્રમુખ સ્વામીએ વિશ્વને ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપી છે

 (7:10 PM)

 (6:50 PM)

PM મોદીએ પ્રમુખ સ્વામી નગરીમાં હરિભક્તોનું અભિવાદન ઝીલ્યું.
 

(6:45 PM)

PM મોદીએ પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિની પરિક્રમા કરી છે. આ પ્રતિકૃતિમાં 48 મૂર્તિ ગણેશજીની છે, PM મોદી અહીં શ્રીરામના દર્શન કર્યો છે 

(6:37 PM)

PM મોદી પ્રમુખનગરીની પરિક્રમા કરી રહ્યાં છે. આ નગરીમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.

(6:30 PM)

શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની 28 જેટલી પ્રતિકૃતિ PM મોદી નીહાળી છે. 

(6:20 PM)

પ્રમુખ સ્વામી નગર અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. આ નગરમાં સ્વતંત્ર સેનાનીઓની પ્રતિકૃતિ PM મોદીએ નીહાળી છે

(6:12 PM)

PM મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો. તેમજ પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવા વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે.

(6:02 PM)

પ્રમુખ સ્વામી નગરી PM મોદી નીહાળી રહ્યા છે. પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં તેમણે તેમનો ભાવ અને આદર સાથે પુષ્પો અર્પણ કર્યો હતાં તેમજ તેમણે વંદન પણ કર્યો છે. જે નગરીમાં વિવિધ નૃત્ય પણ કરવામાં આવી રહ્યાં છે 

(5:58 PM)

PM મોદી અને મહંત સ્વામીના હસ્તે સંત દ્વારના ઉદ્ઘાટન સાથે પ્રમુખનગરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ પ્રસંગે વિવિધ શાસ્ત્રોત્કવ વિધિ પણ કરવામાં આવી

(5:53 PM)

પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પ્રમુખ સ્વામી મહારાજને પૂષ્પ અર્પણ કરી પૂજા વિધી કરી છે.

(5:50 PM)

PM મોદી અને મહંત સ્વામી દ્વારા કળશ હાથમાં રાખી વેદોના ઉચ્ચાર સાથે શતાબ્દી મહોત્સવ ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત કરી છે

(5:48 PM)

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા PM મોદી, તેમનું BAPSના સંતો દ્વારા કરાયું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે

 

(5:45 PM)

PM મોદી અમદાવાદના ઓગણજ ખાતે પહોંચી ગયા છે. તેઓ થોડી જ વારમાં પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરશે. જ્યાં હરીભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદની મુલાકાતે PM મોદી (4:00 PM)
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનના  અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ  સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીનો ભાવ સભર આવકાર કર્યો હતો

કાર્યક્રમની રૂપરેખાને લઈ અક્ષરવત્સલ સ્વામીનું નિવેદન
PM મોદી અને મહંત સ્વામીની નિશ્રામાં શતાબ્દી મહોત્સવ આયોજન છે. આજના કાર્યક્રમની રૂપરેખાને લઈ અક્ષરવત્સલ સ્વામી જણાવ્યું છે કે, PM મોદી અને મહંત સ્વામી શાસ્ત્રોત્કવ વિધિ બાદ ઉદ્ધાટન કરશે અને ઉદ્ધાટન બાદ પીએમ મોદી નગરની મુલાકાત લેશે તેમણે જણાવ્યું કે, PM મોદી પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાની પૂર્જા દર્શન કરશે અને PM મોદી ગોલ્ફ કાર્ટમાં બેસીને ગ્લો ગાર્ડનની મુલાકાત લેશે. અક્ષરધામ મંદિર, બાળવાટિકાની પણ મુલાકાત કરશે તેમણે કહ્યું કે, PMના સભા સ્થળે પહોંચતા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરાશ.PM મોદી અને મહંત સ્વામી દીપ પ્રાગટ્ય બાદ સંબોધન કરશે અને રાજ્યપાલ, CM, મંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે 

સંતદ્વાર આકર્ષણનું કેન્દ્ર
દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે, એવું આયોજન કરવામાં આવ્યું છે. સંતદ્વાર 380 ફૂટ પહોળો તેમજ અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. તદુપરાંત આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપી રહી છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.
 

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું PM મોદીના હસ્તે થઈ શકે ઉદ્ધાટન,  ભવ્યાતિભવ્ય આયોજન જોઈ આંખો પહોળી થઈ જશે | Pramukh Swami Shatabdi Mohotsav  may be inaugurated by PM Modi

ઊભા કરવામાં આવ્યા છે 7 પ્રવેશ દ્વાર
સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ઉભા કરવામાં આવેલા સ્વામિનારાયણનગરમાં બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવી રચનાઓ કરવામાં આવશે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેના સાત પ્રવેશ દ્વાર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે. જ્યારે બાકીના છ પ્રવેશ દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. 

દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.

ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો  શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો | Pramukh Swami Shatabdi  Mahotsav will be ...

પાર્કિંગની કરાઈ છે અદભૂત વ્યવસ્થા 
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે અહીં સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે દરેક પ્રવેશ દ્વાર પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે. આ માટે એક એપ પણ તૈયાર કરાઈ છે.  Psm100 એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે. જેમાં એક QR કોડ સ્કેન કરતા પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી પણ એપ દ્વારા મળી જશે. તેની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. 

હરિભક્તોના રહેવાની પણ કરાઇ છે વ્યવસ્થા
પ્રમુખસ્વામી નગરમાં હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. બહારગામથી આવતા હરિભક્તોને આ મકાનોમાં 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. આ માટે નોંધણી ફરજિયાત છે. 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો  શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો | Pramukh Swami Shatabdi  Mahotsav will be ...

ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે
- એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.
- આવતીકાલે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે. 
- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
- 18-19 ડિસમ્બરે  મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. 
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. 
- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બરે સેવા દિન 
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
- 11 જાન્યુઆરીએ  BAPS એશિયા પેસિફિક દિવ 
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
- 14  જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ