આજે વર્ષના આખરી દિવસે મુંબઈ જેવા મહાનગરોમાં પાર્ટીનો માહોલ હશે ત્યારે ખાલિસ્તાની આતંકી હુમલાનાં ઇનપુટ્સ વચ્ચે મુંબઈ પોલીસ હાઇ અલર્ટ પર છે.
મુંબઈમાં ખાલિસ્તાની હુમલાની ધમકી
આજે 31st December વર્ષના આખરી દિવસની ઉજવણી
તમામ પોલીસકર્મીઓની રજા રદ કરાઈ
ખલિસ્ટની હુમલાની ભીતિ
ખાલિસ્તાની આતંકીઓની મોટાપાયે હુમલાની ધમકી મળતા રાજ્ય પોલીસ વિભાગે આવતીકાલે તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી નાખી છે અને શહેરની વ્યવસ્થા લોખંડી કરી દીધી છે. મુંબઈમાં તહેનાત દરેક પોલીસકર્મી ડ્યુટી કરશે.
બઈ પોલીસને ખબર મળી હતી કે ખાલિસ્તાની તત્વ શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે જે મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. મુંબઈ રેલવે પોલીસ કમિશનર કેસર ખાલિદે જણાવ્યું કે શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આવતીકાલથી 3000થી વધારે રેલવે અધિકારી તહેનાત રહેશે.
તમામ પોલીસકર્મીઓની રજા રદ કરાઈ
ખાલિસ્તાની હુમલાની ધમકી બાદ રાજ્ય પોલીસ વિભાગે તમામ પોલીસકર્મીની રજા કરી દીધી છે અને દરેક પોલીસકર્મીને શહેરના ખુણેખાંચરે ગોઠવવામાં આવશે.
એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, "પોલીસને ઈનપુટ મળ્યો હતો કે ખાલિસ્તાની તત્વો મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આતંકવાદી હુમલા કરી શકે છે."
અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે શુક્રવારે 'બંદોબસ્ત' ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓની વીક ઓફ તેમજ રજાઓ પણ રદ કરી દીધી છે."
ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ પણ અલર્ટ
મુંબઈ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ એલર્ટ પર છે અને 31 ડિસેમ્બરે સમગ્ર શહેરમાં કડક જાગરૂકતા રાખશે. ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP) એ પણ ખતરાને ધ્યાનમાં રાખીને મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારી દીધી છે અને તોડફોડ વિરોધી પગલાં લીધા છે.
GRP મુંબઈના કમિશનર કૈસર ખાલિદે એક ટ્વિટમાં કહ્યું, “COVID 19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે લોકોને આ મુદ્દે સરકારી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપીએ છીએ. GRP મુંબઈએ મહત્વપૂર્ણ રેલ્વે સ્ટેશન પર તપાસ, શોધ અને તોડફોડના પગલાં માટે વિશાળ માનવબળ તૈનાત કર્યું છે. અમે કાયદાનો કડક અમલ કરાવીશું. અમે લોકોને સહકાર આપવા વિનંતી કરીએ છીએ."
મુંબઈમાં કોરોના કેસમાં વિસ્ફોટ
મુંબઈમાં ગુરુવારે કોરોનાના કેસમાં મોટો વિસ્ફોટ થયો છે. ગઈકાલે ચોવીસ કલાકમાં કોરોનાના 3671 કેસ આવ્યાં હતા