બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PM Vishwakarma Yojana Will the government give a loan of up to 3 lakh with low interest, just need these documents, apply quickly

તમારા કામનું / 3 લાખ સુધીની લોન આપશે સરકાર? એ પણ આટલાં ઓછા વ્યાજમાં, બસ જોઇશે આ ડૉક્યુમેન્ટ્સ, કરો ફટાફટ એપ્લાય

Megha

Last Updated: 03:04 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'PM વિશ્વકર્મા યોજના'માં લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન મલીસ હકે છે જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ કરશે. આ યોજના માટે કેવી રીતે અરજી કરવી? જાણો

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરથી  'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી
  • આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે 
  • આ યોજના માટેની શરતો શું છે અને કેવી રીતે અરજી કરવી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર રવિવારના રોજ તેમના 73માં જન્મદિવસના અવસર પર દેશની જનતાને એક મોટી ભેટ આપી અને 'PM વિશ્વકર્મા યોજના' શરૂ કરી છે. રૂ. 13,000 કરોડની આ સરકારી યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. આમાં, કૌશલ્ય તાલીમની સાથે, લાભાર્થીઓને બે તબક્કામાં 3 લાખ રૂપિયા સુધીની લોન આપવાની પણ જોગવાઈ છે, જે વ્યવસાય શરૂ કરવામાં આર્થિક રીતે મદદ કરશે. ચાલો જાણીએ કે આ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને તેનો લાભ કોને મળશે.

આપવામાં આવેલી લોન પર 8 ટકા સુધીની સબસિડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી PM વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર કારીગરોને આપવામાં આવેલી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, તે પણ માત્ર 5 ટકાના રાહત દરે. આ યોજનામાં સુથાર, સુવર્ણકાર, લુહાર, મેસન્સ, પથ્થર શિલ્પકારો, વાળંદ અને નાવિક સાથે સંબંધિત 18 ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ અંતર્ગત સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે. શરૂઆતમાં રૂ. 1 લાખની લોન આપવામાં આવશે અને 18 મહિના સુધી ચૂકવણી કર્યા પછી, લાભાર્થી રૂ. 2 લાખની વધારાની લોન માટે પાત્ર બનશે. વ્યાજ દર માત્ર 5 ટકા જ રહેશે. ચાલો જાણીએ કે આ યોજના માટેની શરતો શું છે, કોણ પાત્ર છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે અને ઑનલાઇન અને ઑફલાઇન અરજીની પ્રક્રિયા શું છે.

વિશ્વકર્મા યોજના માટે કેવી રીતે અરજી કરવી
- PM વિશ્વકર્મા યોજનાના સત્તાવાર પોર્ટલ પર જાઓ.
સત્તાવાર વેબસાઇટ: (https://pmvishwakarma.gov.in/)
- તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરો.
- OTP વેરિફિકેશન દ્વારા તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ વેરીફાઈ કરો.
- નામ, સરનામું અને વ્યવસાય સંબંધિત માહિતી સહિતની વિગતો સાથે PM વિશ્વકર્મા યોજના નોંધણી ફોર્મ ભરો અને તેને સબમિટ કરો.
- PM વિશ્વકર્મા ડિજિટલ ID અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. જે બાદ સંબંધિત વિભાગ તમારી વિગતોની ચકાસણી કરશે.
- જો બધી વિગતો સાચી હશે તો તમારી લોન મંજૂર કરવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની મદદથી કોલેટરલ ફ્રી લોન આપવામાં આવશે. સાથે જ કલાકારો અને કારીગરો પણ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને પીએમ વિશ્વકર્મા યોજના માટે નોંધણી અને અરજી કરી શકે છે.

કસ્ટમર કેર હેલ્પલાઇન નંબર્સ
- 18002677777
- 17923
- 011-23061574

યોગ્યતા  
- ભારતીય નાગરિક હોવા જોઈએ 
- ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ 
- પહેલાથી જ PMEGP, PM SVANidhi અને મુદ્રા લોનનો લાભ લેતા ન હોવા જોઈએ

યોજનાનો લાભ કોને મળશે?
- સુથાર
- લુહાર
- સોની 
- રાજ મિસ્ત્રી
- વાળંદ
-ધોબી
- દરજી
- તાળાં બનાવનાર 
- બંદૂક બનાવનાર
- શિલ્પકારો, પથ્થર કોતરનાર
- પથ્થર તોડનારા
- મોચી
- બોટ ઉત્પાદક
- ટોપલી/સાદડી/સાવરણી બનાવનાર
- ઢીંગલી અને રમકડા ઉત્પાદકો
- હેમર અને ટૂલકીટ ઉત્પાદક
- ફિશિંગ નેટ ઉત્પાદક

જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- ઓળખપત્ર
- સરનામાનો પુરાવો
- મોબાઇલ નંબર
- જાતિ પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો

પીએમ વિશ્વકર્મા યોજનાના લાભો
- વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાનો ઉદ્દેશ્ય કુશળ કારીગરોને મૂલ્યવાન સહાય પૂરી પાડવાનો છે.
- આ યોજનામાં તહેસીલ અથવા જિલ્લા મુખ્ય મથક પર સ્થિત નાના અને મધ્યમ ઉદ્યોગોના વિભાગ દ્વારા આયોજિત વ્યાપક તાલીમ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
- વિશ્વકર્મા શ્રમ સન્માન યોજનાના સફળ અરજદારને તાલીમ સત્ર મળશે, જે રોજગારની સંભાવનાઓ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.
- આ યોજનામાં તાલીમ લઈ રહેલા કારીગરોને અર્ધ-કુશળ વેતનની સમકક્ષ નાણાકીય સહાયની જોગવાઈનો સમાવેશ થાય છે.
- આ યોજનામાં દરેક લાભાર્થીને 500 રૂપિયાના દૈનિક ભથ્થા સાથે 5 દિવસ માટે કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. દરેક લાભાર્થીને ત્રણ-સ્તરીય રીતે ઓળખવામાં આવશે.
- આ ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલકીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે, એક મહિનામાં 100 જેટલા વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ