બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi praised the mega demolition work in Dwarka
Kishor
Last Updated: 08:53 PM, 10 October 2022
ગુજરાત પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાનનું હાલારની ભૂમિ પર આગમન થયું હતું. જેને લઇને જામનગર શહેરમાં દિવાળી જેવા માહોલ છવાયો હતો. જામનગરવાસીઑ માટે આજની ઘડી રડિયામણી અને સોનાના સૂરજ સમાન છે. કારણ કે આજે 1 હજાર 448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદી દ્વારા કરાયું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર ખાતે સૌરાષ્ટ્રને પાણીદાર ભેટ આપી સૌની યોજનાના બીજા-ત્રીજા તબક્કાનું લોકાર્પણ ઉપરાંત 1448 કરોડના વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમુદ્ર પટ્ટા પર ગેરકાયદેસર બાંધકામો હટાવ્યા છેઃ PM
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે બેટ દ્વારકામાં તંત્ર દ્વારા કરાયેલા મેગા ડિમોલિશનની કામગીરીને મુક્તમને બિરદાવી હતી. મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હોય છે ત્યારે બધા જ વિરોધ વગર સહકાર આપતા હોય છે. જે આ મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. વધુમા ડિમોલિશન મામલે સંતોના નિવેદન સાંભળીને રાજીપો થયો હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. 'આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર ભૂપેન્દ્રભાઈ સફાઇ કરાવી રહ્યાનું' જણાવ્યું હતું. વિરોધીઑ થોડી જ વારમા સમજી ગયા કે આહી આપડુ કશું ચાલશે નહીં. તેમ ઉમેરી આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
બેટ દ્વારકામાં તંત્ર દ્વારા કરાયું મેગા ડિમોલિશન
બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં પાંચ દિવસથી વધુ આ કામગીરી ચાલી હતી અને અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું છે. જયા 30 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે. મેગા ડિમોલિશનમાં ગોડાઉન અને ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા. ઑપરેશન ક્લિન અપ દ્વારા બેટ દ્વારકામાં તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી બેટ દ્વારકામાં એક લાખ ફૂટથી વધુ જમીન ઉપર ગેરકાયદેસર જમીનો પરના દબાણો તોડી પડાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા