દેશમાં ફરી મોદી મેજીક છવાયું છે. પીએમ મોદી ફરીથી દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. ત્યારે પીએમ મોદી પ્રધાનમંત્રી પદના શપથ લે તે પહેલા માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર આવી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ, પીએમ મોદી 26મી મેના રોજ ગુજરાત આવશે અને હિરાબાના આશીર્વાદ લઈ શકે છે. માતા હિરાબાના આશીર્વાદ લીદા બાદ પીએમ મોદી પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ઉલ્લેખનીય છે કે, આજે સાંજે પીએમ મોદી કેબિનેટ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા બાદ લેવાશે અને અંતે પીએમ મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામુ આપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના શપથ માટે આમંત્રણ આપશે.