બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM modi expressed condolences by tweeting about the floods in pakistan

ટ્વિટ / ભારતનું માનવતાવાદી વલણઃ પાકિસ્તાનમાં પુર તબાહી પર PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

Published By: Hiren

Last Updated: 08:48 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં પુરથી મચેલી તબાહી પર ભારતે પાડોશી દેશના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

  • પાકિસ્તાનમાં પુરે મચાવી તબાહી
  • પાડોશી દેશ પ્રત્યે ભારતે દર્શાવ્યું માનવતાવાદી વલણ
  • પીડિતો પ્રત્યે અમારી સંવેદનાઓઃ PM મોદી

પાકિસ્તાનમાં પુરે હાહાકાર મચાવ્યો છે. પાડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પુરની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સંકટના આ સમયમાં પરસ્પર મતભેદોથી આગળ વધીને માનવતાવાદી વલણ દર્શાવ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં પુરથી સર્જાયેલી તબાહીને જોઇને દુઃખ થયું છે. અમે પીડિતો, ઇજાગ્રસ્તો અને પ્રાકૃતિક સંકટથી અસરગ્રસ્ત તમામ લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની ઝડપી પુનઃસ્થાપનની પણ આશા રાખીએ છીએ.

પુરમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 1000ને પાર
પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી પુરના કારણે મૃતકોની સંખ્યા સોમવારે 1061 સુધી પહોંચી ગઇ છે. ત્યારે આર્થિક સંકટથી જજૂમી રહેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સરકારની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય સહાયતા પહોંચવા લાગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

India PM modi pakistan પાકિસ્તાન પીએમ મોદી ભારત pakistan floods 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ