પાકિસ્તાનમાં પુરે હાહાકાર મચાવ્યો છે. પાડોશી દેશમાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પુરની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સંકટના આ સમયમાં પરસ્પર મતભેદોથી આગળ વધીને માનવતાવાદી વલણ દર્શાવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાનમાં પુરથી સર્જાયેલી તબાહીને જોઇને દુઃખ થયું છે. અમે પીડિતો, ઇજાગ્રસ્તો અને પ્રાકૃતિક સંકટથી અસરગ્રસ્ત તમામ લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની ઝડપી પુનઃસ્થાપનની પણ આશા રાખીએ છીએ.
Saddened to see the devastation caused by the floods in Pakistan. We extend our heartfelt condolences to the families of the victims, the injured and all those affected by this natural calamity and hope for an early restoration of normalcy.
પુરમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 1000ને પાર
પાકિસ્તાનમાં આવેલા વિનાશકારી પુરના કારણે મૃતકોની સંખ્યા સોમવારે 1061 સુધી પહોંચી ગઇ છે. ત્યારે આર્થિક સંકટથી જજૂમી રહેલા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સરકારની અપીલ બાદ આંતરરાષ્ટ્રીય સહાયતા પહોંચવા લાગી છે.