બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આ વર્ષે અલ નીનોના કારણે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં દુષ્કાળની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / આ વર્ષે અલ નીનોના કારણે સામાન્યથી ઓછા વરસાદની શક્યતા, આ વિસ્તારોમાં દુષ્કાળની આગાહી

Last Updated: 04:15 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે, જે ચોમાસા અને ખેતી પર સીધી અસર કરી શકે છે.

1/6

photoStories-logo

1. દેશભરના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર

ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન સંબંધિત વિવિધ અનુમાનો મુજબ આ વર્ષે દેશમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે. અલ નીનો સક્રિય થવાના સંકેતો મળતા ચોમાસાની સ્થિતિ પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે અલ નીનોના કારણે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે, જેના કારણે કૃષિ ક્ષેત્ર માટે પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સામાન્ય કરતાં લગભગ 10 ટકા ઓછો વરસાદ

અહેવાલો અનુસાર દેશમાં સામાન્ય કરતાં લગભગ 10 ટકા ઓછો વરસાદ પડે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આવું થાય તો તેની સીધી અસર ખેતી અને જળસંગ્રહ પર પડી શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ

હવામાન વિભાગ અને નિષ્ણાતોના અનુમાન પ્રમાણે મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વરસાદની અછતના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચવાની સંભાવના વધી શકે છે. ખેડૂતો માટે સિંચાઈ અને પાણીની ઉપલબ્ધતા પણ મહત્વનો મુદ્દો બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું માનવામાં

અલ નીનો સક્રિય થવાના સંકેતો પાછળનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય સ્તર કરતાં વધુ નોંધાઈ રહ્યું છે, જે અલ નીનો સક્રિય થવાના મહત્વના સંકેતો પૈકીનું એક ગણાય છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અલ નીનોની તીવ્રતા વધુ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત

જો અલ નીનો વધુ મજબૂત બનશે તો તેની અસર દેશના અનેક ભાગોમાં જોવા મળી શકે છે. માત્ર વરસાદની અછત જ નહીં પરંતુ હવામાનની અસમાનતા પણ વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી શકે છે. પરિણામે પાણી વ્યવસ્થાપન, ખેતી અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અલ નીનોની અસરને કારણે હવામાનની સામાન્ય વ્યવસ્થા

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અલ નીનોની અસરને કારણે હવામાનની સામાન્ય વ્યવસ્થા ખોરવાઈ શકે છે. જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાં વરસાદનું વિતરણ અસમાન બની શકે છે. ખેડૂતો માટે આગામી મહિનાઓ અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે અને તેઓએ હવામાન સંબંધિત આગાહીઓ પર સતત નજર રાખવાની જરૂર રહેશે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે. આગામી દિવસોમાં અલ નીનોની તીવ્રતા અને ચોમાસાની ગતિ પર સૌની નજર રહેશે, કારણ કે તેની સીધી અસર કૃષિ ઉત્પાદન, પાણીના સંગ્રહ અને સમગ્ર અર્થવ્યવસ્થા પર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainfall Al Niño
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ