બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / વધવાનો છે તમારો 'હાથમાં આવતો' પગાર, આવી ગયું આ મોટું અપડેટ
Last Updated: 03:50 PM, 4 July 2026
જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો અને તમારું PF (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટ છે, તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે PF યોગદાન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક કર્મચારીઓની ઇન-હેન્ડ સેલરી વધી શકે છે. નવા નિયમ મુજબ હવે PFમાં વધુ રકમ જમા કરાવવી ફરજિયાત રહેશે નહીં. કર્મચારી અને કંપની બંનેની સંમતિથી PF કપાત ઓછી કરી શકાય છે, જેના કારણે દર મહિને હાથમાં મળતી સેલરીમાં વધારો થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્ર સરકારે PF યોગદાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ PFમાં ફરજિયાત યોગદાનની મર્યાદા દર મહિને 1,800 રૂપિયા સુધી રાખવામાં આવી છે. એટલે કે જે કર્મચારીઓના PFમાંથી હાલમાં વધુ રકમ કપાઈ રહી છે, તેઓ ઇચ્છે તો તેને ઘટાડીને 1,800 રૂપિયા સુધી મર્યાદિત કરી શકે છે.

ADVERTISEMENT
આ નિયમ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, જેમની બેઝિક સેલરી 15,000 રૂપિયાથી વધુ છે અને જેમના PFમાં દર મહિને મોટી રકમ જમા થઈ રહી છે. જોકે, આ નિર્ણય કર્મચારી અને નોકરીદાતા બંનેની સંમતિ પર આધારિત રહેશે. જેઓની બેઝિક સેલરી 15,000 રૂપિયા અથવા તેનાથી ઓછી છે, તેમના માટે દર મહિને 1,800 રૂપિયાનું PF યોગદાન ફરજિયાત રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણી કંપનીઓ કર્મચારીઓની વાસ્તવિક બેઝિક સેલરીના આધારે PFની ગણતરી કરતી હતી. પરિણામે ઘણા કર્મચારીઓના PFમાંથી દર મહિને 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ રકમ કપાતી હતી.

ADVERTISEMENT
નવા નિયમો મુજબ આવી વધુ PF કપાત ફરજિયાત રહેશે નહીં. કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ PF યોગદાન ચાલુ રાખી શકે છે અથવા તેને ઘટાડવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આથી તેની ઇન-હેન્ડ સેલરીમાં વધારો થઈ શકે છે.

ધારો કે કોઈ કર્મચારીની બેઝિક સેલરી 60,000 રૂપિયા છે અને તેના PFમાં દર મહિને 7,200 રૂપિયા કપાય છે. જો કર્મચારી અને કંપની બંને PF યોગદાનને ઘટાડીને 1,800 રૂપિયા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લે તો કર્મચારીને દર મહિને આશરે 5,400 રૂપિયા વધુ ઇન-હેન્ડ સેલરી મળી શકે છે.

આ પણ વાંચોઃ ટેલિગ્રામ પર સરકારની મોટી કાર્યવાહી! પાયરેટેડ ફિલ્મો-OTT કન્ટેન્ટ મામલે 15 દિવસનું અલ્ટીમેટમ
જો તમે નિવૃત્તિ બાદ વધુ બચત ઈચ્છતા હો, તો PFમાં પહેલાની જેમ અથવા વધુ યોગદાન ચાલુ રાખી શકો છો. PF કપાત ઘટાડવી કે નહીં, તે સંપૂર્ણપણે કર્મચારીની પસંદગી પર નિર્ભર રહેશે. નવા નિયમથી ટૂંકા ગાળામાં હાથમાં મળતી સેલરી વધી શકે છે પરંતુ PFમાં ઓછી બચત થવાથી નિવૃત્તિ માટેનું ફંડ પણ ઓછું થઈ શકે છે. તેથી નિર્ણય લેતા પહેલા તમારી નાણાકીય જરૂરિયાતો અને ભવિષ્યની યોજના ધ્યાનમાં લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.