બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:00 PM, 19 January 2024
ADVERTISEMENT
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આગમને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ક્ષણના સાક્ષી બનવા માટે દેશવાસીઓમાં ઉત્સાહ ને ઉંમગનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારથી જ અયોધ્યાની પાવન ભૂમિમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અત્યારે ફ્લાઈટ, ટ્રેન અને હોટલનું ફુલ બુકિંગ હોવાના કારણે અયોધ્યા જવા માટે હવે પરિવહનની સુવિધા મળી રહી નથી. પણ જો અમે આપને એવુ કહીએ કે તમે પૈસાને ખર્ચ કર્યા વગર અયોધ્યા પહોંચી શકો છો તો શું તમે માનશો?
પેટીએમએ બસોની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી
ADVERTISEMENT
જો તમે પણ અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યાં છો તો અમે આપને જણાવીશું કે તમે કેવી રીતે ફ્રીમાં અયોધ્યા સુધી પહોંચી શકો છો. કારણ કે મોબાઈલ વોલેટવાળી કંપની પેટીએમએ બસોની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. જેનો લાભ ઉઠાવીને તમે સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો.
આજથી શરૂ કરવામાં આવી બસ
ADVERTISEMENT
તમને જણાવી દયે કે આજથી પેટીએમ દ્વારા ફ્રી બસ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે એવિએશન કંપનીઓ, રોડવે અને રેલવે દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. અયોધ્યા પહોંચવા માટે હવે સ્પેશિયલ ફ્લાઈટ, સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ બસો દોડાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સ્પેશિયલ વ્હીકલ દોડાવવામાં આવી રહ્યાં હોવા છતાં લોકોને ટિકિટ મળી રહી નથી.. એવામાં પેટીએમ દ્વારા બસ ટિકિટ ફ્રી માં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે સેવા આજથી શરૂ થઈ ગઈ છે. અને લોકો પણ તેનો લાભ લઈ રહ્યાં છે.
વધુ વાંચો:દર્શનનો લ્હાવો ચુકતા નહીં: રામલલાના પૂર્ણ મુખની તસવીર આવી સામે, અલૌકિક રૂપમાં છે હસમુખો ચહેરો
ADVERTISEMENT
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ વિરાજમાન થશે. ત્યારે પેટીએમ દ્વારા અયોધ્યા જવાની યોજના બનાવી રહેલા ભક્તો માટે વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી છે.. જેનો લાભ જાહેરજનતાને મળી રહ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.