ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Paytm a mobile wallet company has announced free bus tickets to go to Ayodhya

તક / અયોધ્યા જવા માટે મફત ટિકિટનું એલાન, તાત્કાલિક ઉઠાવી લેજો લાભ નહીંતર ઓફર લિમિટેડ

Published By: Mahadev Dave

Last Updated: 06:00 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા જવા માટે મોબાઈલ વોલેટવાળી કંપની પેટીએમએ બસોની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. જાણો વિગતે!

ADVERTISEMENT

  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સાહ
  • મોબાઈલ વોલેટવાળી કંપની પેટીએમએ કરી અનોખી જાહેરાત
  • અયોધ્યા જવા માટે કરી ખાસ બસની નિશુલ્ક સુવિધા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આગમને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ક્ષણના સાક્ષી બનવા માટે દેશવાસીઓમાં ઉત્સાહ ને ઉંમગનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારથી જ અયોધ્યાની પાવન ભૂમિમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અત્યારે ફ્લાઈટ, ટ્રેન અને હોટલનું ફુલ બુકિંગ હોવાના કારણે અયોધ્યા જવા માટે હવે પરિવહનની સુવિધા મળી રહી નથી. પણ જો અમે આપને એવુ કહીએ કે તમે પૈસાને ખર્ચ કર્યા વગર અયોધ્યા પહોંચી શકો છો તો શું તમે માનશો? 

પેટીએમએ બસોની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી

જો તમે પણ અયોધ્યા જવાનો પ્લાન કરી રહ્યાં છો તો અમે આપને જણાવીશું કે તમે કેવી રીતે ફ્રીમાં અયોધ્યા સુધી પહોંચી શકો છો. કારણ કે મોબાઈલ વોલેટવાળી કંપની પેટીએમએ બસોની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. જેનો લાભ ઉઠાવીને તમે સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો.

આજથી શરૂ કરવામાં આવી બસ

તમને જણાવી દયે કે આજથી પેટીએમ દ્વારા ફ્રી બસ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે એવિએશન કંપનીઓ, રોડવે અને રેલવે દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. અયોધ્યા પહોંચવા માટે હવે સ્પેશિયલ ફ્લાઈટ, સ્પેશિયલ ટ્રેન અને સ્પેશિયલ બસો દોડાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા સ્પેશિયલ વ્હીકલ દોડાવવામાં આવી રહ્યાં હોવા છતાં લોકોને ટિકિટ મળી રહી નથી.. એવામાં પેટીએમ દ્વારા બસ ટિકિટ ફ્રી માં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે સેવા આજથી શરૂ થઈ ગઈ છે. અને લોકો પણ તેનો લાભ લઈ રહ્યાં છે.

વધુ વાંચો:દર્શનનો લ્હાવો ચુકતા નહીં: રામલલાના પૂર્ણ મુખની તસવીર આવી સામે, અલૌકિક રૂપમાં છે હસમુખો ચહેરો

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ વિરાજમાન થશે. ત્યારે પેટીએમ દ્વારા અયોધ્યા જવાની યોજના બનાવી રહેલા ભક્તો માટે વિશેષ ઓફરની જાહેરાત કરવામાં આવી છે.. જેનો લાભ જાહેરજનતાને મળી રહ્યો છે

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Paytm અયોધ્યા પેટીએમ ફ્રી ટિકિટ રામ મંદિર Ayodhya ram mandir

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ