બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Parshottam Rupala knows about going to Delhi

સૂત્ર / રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલાશે? પરશોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું, જાણો વધુ વિગત

Dinesh

Last Updated: 10:19 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: સૂત્રો પાપ્ત માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધને લઈ પરશોતમ રૂપાલાને દિલ્હી બોલાવ્યાની ખબર, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર છે અડગ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિરોધના સૂર ઉઠ્યાં છે. ત્યારે હવે સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર અડગ છે.

રૂપાલાને દિલ્હી બોલાવ્યાની ખબર: સૂત્ર 
સૂત્રો પાપ્ત વિગતો મુજબ પરશોતમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. તેઓ દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે  પરશોતમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે જોવું રહ્યું. 

માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. કરણી સેના સહિતના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી નહતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે

ક્ષત્રિય સમાજના અગ્રણીઓની શું માંગ છે?
ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરશોતમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો એ ન ભૂલવું જોઈએ. PM કહી ચુક્યા છે કે અકબર સામે ક્ષત્રિયો ન લડ્યા હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત. રાજકારણમાં જડતા ક્યારેય ચાલતી નથી.અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Parshottam Rupala Statement Rajkot News loksabha Election 2024 પરશોત્તમ રૂપાલાનું નિવેદન loksabha election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ