બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / papmochani ekadashi 2024 vrat katha subh muhurat

ધર્મ / આજે પાપમોચની એકાદશીના પાવન દિવસે અવશ્ય કરો આ પાઠ, મળશે પાપોથી મુક્તિ

Arohi

Last Updated: 08:08 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Papmochani Ekadashi 2024: સનાતન ધર્મમાં એકાદશીનું ખાસ મહત્વ છે. ચૈત્ર મહિનાની પહેલી એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત 5 એપ્રિલે એટલે કે આજે છે.

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વખત આ વ્રત 5 એપ્રિલ એટલે કે આજે છે. આ તિથિ પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ જીવનમાં સુખ-શાંતિ માટે વ્રત પણ કરવામાં આવે છે. 

માન્યતા છે કે સાધકને પાપમોચની એકાદશી વ્રતનું સંપૂર્ણ ફળ કથાનો પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. માટે આ દિવસે પૂજા વખતે પાપમોચની એકાદશી વ્રત કથાનો પાઠ જરૂર કરવો જોઈએ. એવામાં આવો જાણીએ પાપમોચની એકાદશીની વ્રત કથા.

પાપમોચની એકાદશી 2024 વ્રત કથા 
પૌરાણિક કથા અનુસાર એક વખત રાજા માંધાતાએ લોમશ ઋષિને એક પ્રશ્ન કર્યો કે ભૂલથી થયેલા પાપોમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? તો એવામાં લોમશ ઋષિએ પાપમોચની એકાદશી વ્રત વિશે જણાવ્યું. 

કથા અનુસાર એક વખત ચ્યવન ઋષિના પુત્ર મેઘાવી વનમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એક અપ્સરા જઈ રહી હતી. જેનું નામ મંજુધોષા હતું. તેની નજર મેઘાવી પર પડી અને તેને જોઈને મોહિત થઈ ગઈ. 

ત્યાર બાદ મંજુધોષાએ મેઘાવીને પોતાની તરફ આકર્ષિત કરવા માટે પ્રયત્ન કર્યો. આ કાર્યની મદદ માટે કામદેવન પણ આકાશથી આવ્યા. ત્યારે મેઘાવી પણ મંજૂધોષાની તરફ આકર્ષિત થઈ ગયા. એવામાં તે દેવોના દેવ મહાદેવની તપસ્યા કવાનું ભુલી ગયા તો તેમણે મંજૂધોષાને દોષી માનતા તેમને પિશાચિની થવાનો શ્રાપ આપ્યો. જેનાથી અપ્સરા ખૂબ જ દુખી થઈ. 

વધુ વાંચો: ભગવાનને ભોગ ધરાવતી વખતે કેટલી વાર ઘંટડી વગાડવી? જાણો તેના નિયમો

ત્યાર બાદ અપ્સરાએ મેઘાવીની માફી માંગી અને તે વાતને સાંભળીને મેઘાવીએ મંજૂધોષાને ચૈત્ર મહિનાની પાપમોચની એકાદશી વ્રત વિશે જણાવ્યું. મેઘાવીના કહેવાય પર મંજૂઘોષાએ વિધિપૂર્વક પાપમોચની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પુષ્ય પ્રભાવથી અપ્સરાને બધા પાપોમાંથી છુટકારો મળ્યો. આ એકાદશી વ્રતના પ્રભાવથી મંજુધોષા ફરી અપ્સરા બની ગઈ અને સ્વર્ગમાં પાછી જતી રહી. મંજૂધોષાના બાદ મેઘાવીએ પણ પાપમોચની એકાદશીનું વ્રત કર્યું અને પોતાના પાપોને દૂર કર્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ