બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Pakistan pm shahbaz sharif bjp leader nupur sharma prophet mohammad

વિરોધ / અપમાનજનક ટિપ્પણીના વિવાદમાં કૂદ્યા પાકિસ્તાની PM શહબાઝ શરીફ, ટ્વિટ કરીને ઉઠાવ્યા સવાલ

Published By: Hiren

Last Updated: 09:59 AM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણીને લઇને પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. તેમની ટિપ્પણીને લઇને મુસ્લિમ દેશોમાં ભારતની ટીકા થઇ રહી છે.

  • પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ કરી હતી વિવાદિત ટીપ્પણી
  • પૈગંબર માટે આપી શકીએ છીએ જીવઃ શહબાઝ શરીફ
  • ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી કર્યા સસ્પેન્ડ

આ વિવાદમાં હવે પાકિસ્તાની પણ કૂદી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે ટ્વિટ કરીને કહ્યું કે, ભાજપ નેતાના નિવેદનની નિંદા કરીએ છીએ. તેની સાથે જ પાકિસ્તાનના ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારત પર ઝેર ઓંકવાનો મોકો શોધી લીધો છે. જોકે નૂપુર શર્માએ માફી માંગી છે.

શહબાઝ શરીફે કહ્યું કે, હું અમારા પ્યારા પૈગંબર મોહમ્મદ અંગે ભારતના ભાજપ નેતાની ઠેસ પહોંચાડનારી ટિપ્પણીઓની કડક શબ્દોમાં નિંદા કરું છું. અમે અનેક વખત કહ્યું છે કે, મોદીના નેતૃત્વમાં ભારત ધાર્મિક સ્વતંત્રતાને કચડવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને મુસ્લિમોને સતાવવામાં આવી રહ્યા છે. દુનિયાને આ અંગે ધ્યાન આપવું જોઈએ અને ભારતને મોટી ફટકાર લગાવવી જોઈએ.

પૈગંબર માટે આપી શકીએ છીએ જીવઃ શહબાઝ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના એક અન્ય ટ્વિટમાં કહ્યું, અમારા પ્યારા પૈગંબર મોહમ્મદ માટે સર્વોચ્ચ છે. તમામ મુસ્લિમ પૈગંબર મોહમ્મદના પ્રેમ અને સન્માન માટે પોતાનો જીવ આપી શકે છે. જણાવી દઇએ કે, કથિતરીતે પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપે નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલે સસ્પેન્ડ કરી દીધા છે.

અરબ દેશોમાં થયો વિરોધ
પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ ટિપ્પણીને લઇને અરબ દેશોમાં ભારે વિવાદ થયો છે. ખાડીના દેશોમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કારની પણ મુહિમ જોવા મળી છે. ત્યારે, ઓમાનના ગ્રેન્ડ મુફ્તી શેખ અહમદ બિન હમાદ અલ ખલીલીએ પણ ભાજપ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સત્તાધારી પાર્ટીના સત્તાવાર પ્રવક્તાએ ઇસ્લામના દૂત વિરૂદ્ધ ઢીઠ અને અશ્લીલ ટિપ્પણી કરી છે. અલ ખલીલીના નિવેદન બાદ ભાજપે પણ સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું હતું.

નૂપુર શર્માએ માંગી માફી
નૂપુર શર્માએ પોતાની ટિપ્પણીને લઇને માફી માંગી છે. સાથે કહ્યું કે, હું મારા શબ્દો પરત લઉં છું. તેમણે કહ્યું કે મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો. જો મારા શબ્દોથી કોઇની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું મારા શબ્દોને પરત લઉં છું.

સંકળાયેલા મુદ્દાઓ

India nupur sharma pakistan નૂપુર શર્મા પાકિસ્તાન Nupur Sharma issues apology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ