બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પાકિસ્તાનને પહેલેથી જ ખબર હતી કે....', ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં એર સ્ટ્રાઇક પર ચોંકાવનારો ઘટસ્ફોટ

સીઝફાયર અપડેટ / 'પાકિસ્તાનને પહેલેથી જ ખબર હતી કે....', ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં એર સ્ટ્રાઇક પર ચોંકાવનારો ઘટસ્ફોટ

Priykant Shrimali

Last Updated: 11:42 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor : ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા માટે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ, ઓપરેશન સિંદૂરમાં લશ્કરી અને નાગરિક બંને પાસાં

Operation Sindoor : ઓપરેશન સિંદૂર વચ્ચે આજે બપોરે 12 વાગ્યે DGMO સ્તરની વાતચીત થવાની છે. ભારત તરફથી DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને પાકિસ્તાન તરફથી તેમના DGMO આ બેઠકમાં હાજરી આપશે. આ તરફ ત્રણેય દળોના DGMO બપોરે 2.30 વાગ્યે મીડિયાને બ્રીફ કરશે. આ બધાની વચ્ચે હાલ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા માટે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે.

સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ પર ગર્વ

ભાજપના સાંસદ અને પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા માટે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ અદમ્ય હિંમત દર્શાવી. સંબિત પાત્રાએ કહ્યું કે અગાઉ PM મોદીએ કહ્યું હતું કે, અમે આતંકવાદનો નાશ કરીશું અને તેમના ઘરમાં ઘૂસીને તેમને મારીશું. ભારતે 6-7 મેની રાત્રે પણ આવું જ કર્યું. પાકિસ્તાનને પહેલાથી જ ખબર હતી કે પહેલાની જેમ આ વખતે પણ હુમલો થશે પરંતુ બધું જાણવા છતાં તે કાર્યવાહીની તારીખ જાણી શક્યું નહીં.

ઓપરેશન સિંદૂર 100 વર્ષ સુધી યાદ રહેશે

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, અમે રાફેલ વિમાનોની મદદથી આતંકવાદીઓને નષ્ટ કર્યા. ઓપરેશન સિંદૂર એક એવું મિશન હતું જે 100 વર્ષ સુધી યાદ રાખવામાં આવશે. અમે પાકિસ્તાનના 8 એરબેઝનો નાશ કર્યો. જ્યારે અમે નૂર ખાન એરબેઝને નુકસાન પહોંચાડ્યું, ત્યારે પાકિસ્તાને અમારા હુમલાને રોકવાની હિંમત પણ ન કરી.

સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં લશ્કરી અને નાગરિક બંને પાસાં છે જેના હેઠળ સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી હતી અને પાકિસ્તાન સાથેનો તમામ વેપાર પણ બંધ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનનો મોટો કૃષિ ક્ષેત્ર સિંધુ નદીના પાણી પર આધારિત છે. આવી સ્થિતિમાં ભારતના કડક પગલાંથી પાકિસ્તાનના અર્થતંત્ર પર મોટી અસર પડશે. સંબિત પાત્રાએ કહ્યું કે, ભારતે રાજદ્વારી સ્તરે પણ પાકિસ્તાનને અલગ કરી દીધું હતું અને કોઈ પણ દેશે પાકિસ્તાનને ટેકો આપ્યો ન હતો.

ઓપરેશન સિંદૂરને લઈ સંબિત પાત્રાનું નિવેદન

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ઓપરેશન સિંદૂરને સફળ ગણાવ્યું અને સેનાની અસાધારણ હિંમતને સલામ કરી. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં જે રીતે આતંકવાદનો નાશ થયો છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જે રીતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે તે પોતે જ સમગ્ર વિશ્વને સંદેશ આપે છે. આતંકવાદ સામેની લડાઈ સામે એક નિર્ણાયક સંદેશ...'

સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, આપણે ઓપરેશન સિંદૂરમાં બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા. આપણે 9 એવા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું ન હતું. સેનાએ પહેલગામનો બદલો લીધો. અમે કોઈપણ નાગરિક સ્થાનને નિશાન બનાવ્યા વિના આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી.

વધુ વાંચો : 'અમે પાકિસ્તાનમાં'... જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી પાસે જાહેર કરી ખાનગી વાત, બધાના મોં ખુલ્લા રહી ગયા!

ઓપરેશન સિંદૂરથી આખી દુનિયાને આપણી શક્તિનો પરિચય થયો

સંબિત પાત્રાએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર અમારી સૌથી મોટી સિદ્ધિ છે. આ ઓપરેશનથી આખી દુનિયાને ભારતની તાકાત દેખાડી દીધી આપણે બતાવ્યું કે, આપણે દુશ્મનની અંદર જઈને તેમનો નાશ કેવી રીતે કરી શકીએ છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Press Conference Operation Sindoor Ceasefire Update
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ