બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'અમે પાકિસ્તાનમાં'... જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી પાસે જાહેર કરી ખાનગી વાત, બધાના મોં ખુલ્લા રહી ગયા!
Last Updated: 10:14 AM, 12 May 2025
પહેલગામ આતંકવાદી હુમલા પછી, 1 મેના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરતા ભાર મૂક્યો હતો કે ભારત પાકિસ્તાનમાં આતંકવાદીઓને પાઠ ભણાવશે. જયશંકરે કહ્યું હતું કે અમે ચોક્કસપણે પાકિસ્તાનમાં આતંકીઓને ઠાર મારીશું તેમાં બે મત નથી એટલે કે ઓપરેશન સિંદૂર લોન્ચ થયાના અઠવાડિયા પહેલાં આતંકીઓને પાઠ ભણવાનો તખતો તૈયાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
4 દિવસના તણાવ બાદ યુદ્ધવિરામ
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસની ભારે તંગદિલી બાદ યુદ્ધવિરામ થયો હતો જે પછી પહેલી રાત શાંતિથી પસાર થઈ હતી. 22 એપ્રિલે પહેલગામ હુમલા બાદ 7 મેના દિવસે ભારત ઓપરેશન સિંદૂર શરુ કરી.
ADVERTISEMENT
વધુ વાંચો : ભાડૂઆતે માલકણ સાથે માણ્યું શરીરસુખ, બહાનું એવું કાઢ્યું કે ફસાઈ ગઈ, જાણો હેરાનીભર્યો કેસ
સરહદે પહેલી રાત એકદમ શાંતિથી વીતી
ADVERTISEMENT
ભારતીય સેનાએ આજે સવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ "મોટાભાગે શાંતિપૂર્ણ" રહી હતી. ભારત અને પાકિસ્તાને શનિવારે સાંજે 5 વાગ્યાથી તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી હતી. જોકે, કલાકો પછી, શ્રીનગર અને ગુજરાતના કેટલાક ભાગો સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ સ્થળોએ ડ્રોન જોવા મળ્યા અને તેમને અટકાવવામાં આવ્યા. મોડી રાત્રે પ્રેસ બ્રીફિંગમાં ભારતે કહ્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેના સશસ્ત્ર દળો યોગ્ય" જવાબ આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.