બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Priyakant
Last Updated: 01:03 PM, 10 March 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC) રવિવારે (10 માર્ચ) કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'જન ગર્જન સભા' સાથે તેના 2024 લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. આ સમય દરમિયાન TMC સુપ્રીમો મમતા બેનર્જી રાજ્યની તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે TMC રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. નોંધનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે પાર્ટી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા જાહેર રેલીમાં તેના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. રેલી પહેલા મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે લોકોને રેલીમાં જોડાવા વિનંતી કરી છે. વિડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું, “બંગાળની ધીરજ અને સૌજન્યને તેની નબળાઈ ન ગણવી જોઈએ.
Bengal's patience & courtesy should NOT be mistaken for its weakness. The Bohiragoto Jomidars must be reminded of this on March 10.
— Mamata Banerjee (@MamataOfficial) March 6, 2024
The #JonogorjonSabha at Brigade Ground this Sunday will be a historic event on the land that has always fought for its rights.
Join us as we lead… pic.twitter.com/MuWVqLYX7D
અન્ય કોઈપણ પક્ષના નેતાઓને સામેલ કરવામાં નહિ આવે ?
અત્યાર સુધી રેલીમાં કોઈપણ રાષ્ટ્રીય વિરોધ પક્ષના નેતા હાજર હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. રેલીમાં પાર્ટી પોતાના રાષ્ટ્રીય નેતાઓને લાવશે, આ નેતાઓ લોકોનો ઉત્સાહ વધારવા માટે મંચ પર હાજર રહેશે. આ નેતાઓમાં રિપુન બોરા અને સુષ્મિતા દેવ, મુકુલ સંગમા, લલિતેશ રાજેશ ત્રિપાઠી, કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા, સાકેત ગોખલે અને સાગરિકા ઘોષનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવી જ રેલીનું આયોજન કર્યું હતું. તે સમયે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ, જેડીએસના એચડી કુમારસ્વામી સહિત લગભગ 20 રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ રેલીમાં સામેલ થયા હતા.
વધુ વાંચો: 8 કલાકની રેડ, 2 કરોડ કેશ જપ્ત, બિહારમાં લાલુ યાદવની નજીકના માફિયા કિંગને EDએ દબોચ્યો
છેલ્લી ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી
છેલ્લી લોકસભા ચૂંટણીના પરિણામોથી TMCને મોટો ફટકો પડ્યો હતો. ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી હતી, જ્યારે TMC 22 બેઠકો જીતવામાં સફળ રહી હતી. બાકીની 2 બેઠકો કોંગ્રેસે જીતી હતી. જો કે, ટીએમસીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત સાથે વાપસી કરી હતી. હાલમાં TMC સંદેશખાલીની ઘટનાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં પાર્ટીના શક્તિશાળી નેતા શાહજહાં શેઠાખ પર છેડતીથી લઈને યૌન શોષણ સુધીના તમામ આરોપો લાગ્યા છે. હાલમાં શાહજહાં શેખ CBIની કસ્ટડીમાં છે, જ્યાં આ હિંસા સંબંધિત કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime