બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફોલોઅર્સ વગર કામ નહીં! ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ટ્રેન્ડના લીધે છીનવાયું એક્ટરનું કામ

મનોરંજન / ફોલોઅર્સ વગર કામ નહીં! ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ટ્રેન્ડના લીધે છીનવાયું એક્ટરનું કામ

Published By: Nirav Kumar

Last Updated: 02:47 AM, 27 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સને તેમના ફોલોઅર્સ પર કામ મળે છે. આ મુદ્દે અનેક સેલિબ્રિટીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરી ચુક્યા છે. એવામાં સિનિયર એક્ટર કંવરજીત પેન્ટલે વીડિયો બનાવી આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

બોલીવુડમાં એક ચર્ચા છેડાઈ છે કે એક્ટર્સને તેમના ફોલોઅર્સ પર કામ આપવામાં આવે છે. આ મુદ્દે અનેક સેલિબ્રિટીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે અને અમુક તો આ ટ્રેન્ડનો ભોગ પણ બન્યા છે અને ફિલ્મો પણ ગુમાવી છે. એવામાં હવે સિનિયર એક્ટર મનમીત સિંહ અને કંવરજીત પેન્ટલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. એક કટાક્ષપૂર્ણ રીલ દ્વારા તેઓ દર્શાવે છે કે આ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ઊંડે સુધી મૂળિયાં જમાવી ચૂક્યો છે.

જંગલ, રબ ને બના દી જોડી અને જુગ જુગ જીયો જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા મનમીત વીડિયોમાં પેઇન્ટલને પૂછે છે, "શું તમે એક્ટર છો?" પેઇન્ટલ જવાબ આપે છે, "ના." જ્યારે પૂછવામાં આવ્યું કે, "સર, મેં તમને ઘણી વાર જોયા છે,"તો પેઇન્ટલ જવાબ આપે છે, "મારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફોલોઅર્સ નથી તેથી હું એક્ટર નથી."

જેમાં 56 વર્ષીય મનમીત વધુ આશ્ચર્ય વ્યક્ત કરે છે, "તો, હવે મારે મારા ફોલોઅર્સ વધારવા પડશે." બાદમાં તે પૂછે છે કે "સર, શું જેની પાસે ફોલોઅર્સ નથી તે એક્ટર નથી?" પેઇન્ટલ જવાબ આપે છે, "ના, બિલકુલ નહીં." મનમીત આગળ સમજાવે છે, "માફ કરશો ભાઈ, તમારા ફોલોઅર્સ વધારો. એક્ટિંગમાં સારા બનવાની કોઈ જરૂર નથી. ખુબ બધો પ્રેમ." આ સાંભળીને પેઇન્ટલ જવાબ આપે છે, "લોટસ ઓફ ફોલોઅર્સ છે, પ્રેમ નહીં."

VTV DIGITAL

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઠોર વાસ્તવિકતાને ઉજાગર કરતો આ વીડિયો પોસ્ટ કરીને મનમીત લખે છે, "આજકાલ એક્ટર્સે આ વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા અનુભવ અને પ્રતિભા કરતાં વધુ વેલ્યુએબલ છે."

પોતાની પોસ્ટમાં, અનેક સેલિબ્રિટીઓએ આ ટ્રેન્ડ સાથે સંમતિ દર્શાવી છે અને તેને નકામું ગણાવ્યું છે. તે કહે છે, "દુઃખદ છે પણ સાચું છે, આજકાલ ઇન્ડસ્ટ્રીમાં તેને મોટા પાયે ફોલો કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ તમારા કામ કરતાં તમારા ફોલોઅર્સ વધુ જોવા માંગે છે. આથી જ અનેક એક્ટર્સ તેમનું કામ ગુમાવે છે, જ્યારે બીજા લોકો રોલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે."

વધુ વાંચો: શિવાજી મહારાજ વિશે ધીરેન્દ્ર શાસ્ત્રીનું વિવાદાસ્પદ નિવેદન, રિતેશ દેશમુખે બાબાને બરાબરના ખખડાવ્યા

ઉલ્લેખનીય છે કે, 77 વર્ષીય કંવરજીત પેઇન્ટલનો બીઆર ચોપરાના મહાભારતમાં શિખંડીનો રોલ પણ ખુબ ફેમસ થયો હતો.. તેઓ સટ્ટા પે સત્તા, રોટી અને લૈલા મજનુ જેવી ફિલ્મોનો પણ ભાગ રહ્યા છે. પરંતુ આ ઉંમરે તેમના જેવા અનુભવી એક્ટર્સ પણ કામ માટે સોશિયલ મીડિયા પર આધાર રાખે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Film Industry Kanwarjit Pentle Followers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ