બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 બાળકોના જીવ ભરખી ગયો, આ જિલ્લામાંથી મળ્યા કેસ
Last Updated: 07:36 PM, 29 July 2026
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત ચિંતા વધારી રહ્યા છે. વાયરસના કારણે વધુ પાંચ બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે તેમજ દવાનો છંટકાવ સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે.
ADVERTISEMENT
માણસા તાલુકાના ચરાડા ગામમાં બાળકનું મોત
માણસા તાલુકાના ચરાડા ગામમાં 4 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગે ગામ અને આસપાસના વિસ્તારમાં 364થી વધુ ઘરોમાં આરોગ્ય સર્વે હાથ ધર્યો છે તેમજ જીવાત નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ધ્રોલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત
ADVERTISEMENT
જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે. હાલમાં જામનગરની જીજી હોસ્પિટલમાં બે બાળકો ચાંદીપુરાની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં 3 વર્ષના બાળકનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મોત
ADVERTISEMENT
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં 3 વર્ષના બાળકનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. ઉપરાંત મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામમાં એક બાળકી અને ખેડા જિલ્લાના મહુધાની 9 વર્ષની બાળકીનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.

ADVERTISEMENT
9 મહિનાના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
આ તરફ ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામમાં 9 મહિનાના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકની સારવાર ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ તથા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, મચ્છર અને રેતીમાખી નિયંત્રણ માટે દવાનો છંટકાવ તેમજ લોકોને સ્વચ્છતા જાળવવા અને બાળકોમાં તાવ, ઉલટી, બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.