બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Malay
Last Updated: 12:04 PM, 18 April 2023
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. સુલેએ દાવો કર્યો છે કે, આગામી 15 દિવસમાં બે રાજકીય વિસ્ફોટ થવાના છે. તેમણે કહ્યું કે, એક દિલ્હીમાં થશે અને બીજો મહારાષ્ટ્રમાં થશે. સુપ્રિયા સુલેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NCP નેતા અજીત પવારના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે.
રાજકીય અટકળોનો દોર શરૂ
સાંસદ સુપ્રિયા સુલેના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે, અજીત દાદા ક્યાં છે? તો તેમણે જવાબ આપ્યો, 'તમે બધા ચેનલવાળા એક યુનિટ અજીત દાદાની પાછળ લગાવી દો. રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, રાજ્યમાં ખોટી રીતે કામ થઈ રહ્યું છે, એક કાર્યક્રમમાં હાજર ન રહેવાથી આવું કંઈ નહીં થાય.'
અજીત દાદા ભાજપમાં જોડાશે કે નહીં? આ સવાલ પર તેમણે કહ્યું, 'આ વાત દાદાને પૂછો, મારી પાસે ગોસિપ માટે સમય નથી, જનપ્રતિનિધિ તરીકે મારી પાસે ઘણું કામ છે, તેથી મને આ અંગે ખબર નથી.'
ભાજપમાં જોડાવાની અટકળો તેજ
વાસ્તવમાં ઉદ્ધવ જૂથના નેતાના દાવા બાદ અટકળોએ જોર પકડ્યું છે કે NCP નેતા અજીત પવાર ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ પુણેમાં રેલી કરી હતી, જેમાં અજિત પવાર હાજર રહ્યા નહોતા. જે બાદ તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેલીમાં શા માટે સામેલ નહોતા થયા.
નારાજ નથી અજીત પવારઃ સુપ્રિયા સુલે
આ પછી સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું હતું કે, અજીત પવાર નારાજ નથી. તેમણે કહ્યું કે છત્રપતિ સંભાજી નગરમાં મહા વિકાસ અઘાડી (MVA)ની બેઠકમાં જયંત પાટીલનું ભાષણ થયું ન હતું. તેનો અર્થ એ નથી કે તેઓ ગુસ્સે છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે, પહેલાથી જ નક્કી હતું કે દરેક MVA રેલીમાં માત્ર બે લોકો જ બોલશે. તેવી જ રીતે આ બધી અફવાઓ છે કે અજીત પવાર નારાજ છે.
PM મોદીના કર્યા હતા વખાણ
એનસીપીના વડા શરદ પવારે તાજેતરમાં જ અદાણી કેસમાં કોંગ્રેસની જેપીસીની માંગને ફગાવી દીધી હતી. આ પછી તેમના અજીત પવારે પીએમ મોદીના વખાણ કર્યા હતા. આટલું જ નહીં તેમણે ઈવીએમ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને ઈવીએમ પરપૂરો વિશ્વાસ છે. કોઈ એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી ઈવીએમને દોષ આપે છે, પરંતુ તે લોકોનો જનાદેશ છે. તેમણે કહ્યું હતું કે, જે પાર્ટીના માત્ર બે સાંસદો હતા, તેમણે વર્ષ 2014માં પીએમ મોદીના નેતૃત્વમાં જનાદેશ સાથે સરકાર બનાવી અને દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી, તો શું આ મોદીનો કરિશ્મા નથી?
શું NDAમાં સામેલ થશે NCP?
વાસ્તવમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મહારાષ્ટ્રમાં પણ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. અદાણી અને સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સતત ભાજપને ઘેરી રહ્યા છે, તો આમ આદમી પાર્ટી નકલી ડિગ્રી મુદ્દે PM મોદી અને તેમની સરકાર પર નિશાન સાધી રહી છે. આ બધાની વચ્ચે શરદ પવારે વિપક્ષના મુદ્દાઓ પર મક્કમ વલણ અપનાવ્યું છે. તેમણે તાજેતરમાં સાવરકર, અદાણી, પીએમની નકલી ડિગ્રીના મુદ્દે ભાજપને રાહત આપતા નિવેદનો આપ્યા હતા. શરદ પવારના નિવેદનને વિપક્ષી એકતા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
NDAમાં સામેલ પક્ષો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે. રાજકીય સમીકરણો અને પક્ષની સ્થિતિ પર નજર કરીએ તો NDA ગઠબંધનની સાથે જે પક્ષો છે, તેમના ધારાસભ્યોની સંખ્યા 162 છે, જે આ પ્રમાણે છે-
1 ભાજપ-105
2 શિવસેના (શિંદે જૂથ)- 40-3
3 પ્રાખર જનશક્તિ પાર્ટી - 2
4 અન્ય પક્ષો- 3
5 અપક્ષ 12
MVAમાં સામેલ ટીમો
બીજી તરફ જો આપણે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) વિશે વાત કરીએ તો તેમની પાસે કુલ 121 ધારાસભ્યો છે, જેમાં સૌથી વધુ ધારાસભ્યો (53) NCPના છે. MVA ગઠબંધનમાં સમાવિષ્ટ પક્ષો અને તેમના ધારાસભ્યોની સંખ્યા નીચે મુજબ છે-
1 NCP- 53
2 કોંગ્રેસ- 45
3 શિવસેના (ઉદ્ધવ જૂથ)- 17
4 સપા- 2
5 અન્ય પક્ષો- 4
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ