બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / સરકાર આપી રહી છે 35% સબસિડી અને 50 લાખ રૂપિયા સુધીની લોન! જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
Last Updated: 08:54 PM, 5 April 2025
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના બેરોજગાર યુવાનોને રોજગારની તકો પૂરી પાડવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ (CMEGP) નામની એક યોજના શરૂ કરી છે. આ યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ શિક્ષિત છે પણ નોકરી મળી નથી રહી અથવા પોતાનું કંઈક કરવા માંગે છે. આ યોજનાનો લાભ લઈને યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેમાં સરકાર તેમને આર્થિક મદદ પણ કરશે.
ADVERTISEMENT
આ યોજના મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ નિયામક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જા લાયક ઉમેદવારોને મેન્યુફેક્ચરિંગ માટે 50 લાખ રૂપિયા અને સેવા ક્ષેત્ર માટે 20 લાખ રૂપિયા સુધીની બેંક લોન આપવામાં આવી રહી છે. આ લોન પર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધીની લોનની જરૂર હોય તો ઉમેદવાર ઓછામાં ઓછો 7મું પાસ હોવો જોઈએ. જો તમારે 25 લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય, તો ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
આ યોજના માટે અરજી કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા પડશે જેમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવાનું થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.