બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 12 May 2026
Assam CM : હિમતા બિસવા શર્મા આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ગુવાહાટીના વેટરનરી કોલેજ મેદાનમાં યોજાનારો આ ભવ્ય સમારોહ રાજ્યના રાજકારણ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. સવારે 11:40 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં દેશભરના અનેક દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવો હાજરી આપશે.
ADVERTISEMENT
ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકાર આસામમાં સતત ત્રીજી વખત સત્તામાં આવી રહી છે, જેના કારણે પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સાથે ચાર મહત્વના નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લેશે. તેમાં રામેશ્વર તેલી, અતુલ બોરા, ચારણ બોરો અને અજંતા નીઓગનો સમાવેશ થાય છે. અતુલ બોરા આસોમ ગણ પરિષદ (AGP) ના પ્રમુખ છે, જ્યારે ચરણ બોરો બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF) ના ધારાસભ્ય તરીકે ઓળખાય છે. બંને અગાઉની એનડીએ સરકારમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અજંતા નિઓગે પણ અગાઉ મંત્રી તરીકે સેવા આપી હતી, જ્યારે રામેશ્વર તેલી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે ફરી રાજ્યની રાજનીતિમાં સક્રિય બન્યા છે.
Assam CM-designate Himanta Biswa Sarma tweets, "Happy to announce that the following four colleagues of mine will take oath as Ministers tomorrow along with me, in the august presence of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji - Shri Rameswar Teli Shri Atul Bora Shri Charan… pic.twitter.com/RmmGFZXTi8
— ANI (@ANI) May 11, 2026
ADVERTISEMENT
હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે, ધારાસભ્ય રણજીત કુમાર દાસને આસામ વિધાનસભાના સ્પીકર પદ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે તમામ નવા સહયોગીઓને શુભેચ્છા પાઠવી અને વિકાસશીલ તથા સમૃદ્ધ આસામ બનાવવા માટે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પણ વાંચો : PM મોદીની અપીલ બાદ રાજનાથ સિંહની ઈમરજન્સી બેઠક, જાણો શું ચર્ચા થઇ?
ADVERTISEMENT
શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે નરેન્દ્ર મોદી સોમવાર રાત્રે ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને ભાજપના નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હિમંતાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, પીએમ મોદીની આ મુલાકાત આસામ માટે ગૌરવનો વિષય છે અને રાજ્ય માટે નવા વિકાસયુગની શરૂઆત સમાન છે. સમારોહમાં અમિત શાહ, રાજનાથ સિંહ, સર્બાનંદ સોનોવાલ, શિવરાજ સિંહ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ચિરાગ પાસવાન સહિત અનેક કેન્દ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.