બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિદ્યાર્થીઓ કહ્યું છત પડી રહી છે, તો શિક્ષકે બાળકોને ધમકાવ્યા! સ્કૂલ દુર્ઘટનામાં મોટો ખુલાસો
Last Updated: 10:06 PM, 25 July 2025
ચાણક્ય કહે છે કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. સર્જન અને વિનાશ તેના ખોળામાં રમે છે. મનુષ્યના જીવનમાં માં પછી કોઈ ને સ્થાન આપવામાં આવતું હોઈ તો તે ગુરુ છે. પરંતુ આજે ગુરુ પોતેજ ભાન ભૂલ્યો હોય તેવું લાગે છે. પોતાના નીતિશાસ્ત્રને નેવે મુકીને ફક્ત નોકરી કરવા ખાતર શિક્ષક શું સમાજના બાળકોને રસ્તો ચિંધશે ? આજે જ્યારે શિક્ષક પોતાની જવાબદારી ભૂલી બેસે ત્યારે જે ઘટના ઘટે છે તેનું પરિણામ ખુબ જ ચોકાવનારું અને ચેતવણીજનક હોય છે.
ADVERTISEMENT

તેવી એક ઘટના આજે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પોપલોડ ગામમાં એક દુ:ખદ ઘટના ઘટી હતી. માં સરસ્વતીના મંદિરમાં આ ઘટના ઘટી હતી. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના છત તૂટી પડતાં સાત માસૂમ બાળકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સમયે બાળકો પ્રાર્થના સભા માટે શાળામાં હાજર હતા.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ કહ્યું છત પડી રહી છે, તો શિક્ષકે બાળકોને ધમકાવ્યા! સ્કૂલ દુર્ઘટનામાં મોટો ખુલાસો#Schoolroofcollapsed #childerndeath #schollofficerssuspended #VTVdigital pic.twitter.com/v3v3DLOqmM
— Maulik patel (@MaulikVtv) July 25, 2025
કહેવામાં આવી રહ્યું છે કે આ જર્જરિત ઇમારત અંગે અનેક ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, વહીવટીતંત્રે આંખ આડે કાન રાખીને તેને અવગણવાનું ચાલુ રાખ્યું અને જે ડર હતો તે થયું. આ કેસમાં પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને તત્લાકિત ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી. થોડા સમય પહેલા પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આ શાળાની ઇમારત 78 વર્ષ જૂની છે.
વહીવટીતંત્રની બેદરકારીને કારણે અકસ્માત થયો
ADVERTISEMENT
તે જ સમયે, એક વિદ્યાર્થીની વર્ષાએ જણાવ્યું કે છત પરથી કાંકરા પડવા લાગ્યા. જ્યારે બાળકોએ શિક્ષકોને કહ્યું, ત્યારે તેમણે તેમને ઠપકો આપ્યો અને બેસવા કહ્યું. ત્યારબાદ છત તૂટી પડી અને બાળકો તેની નીચે દટાઈ ગયા. અકસ્માત સમયે શિક્ષકો નજીકમાં નાસ્તો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ખૂબ જ પીડાદાયક છે.

ADVERTISEMENT
શિક્ષણ વિભાગના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકોમાં રોષ છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળાની હાલત અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુનાવણી હાથ ધરાઈ નથી. અકસ્માત બાદ જિલ્લા વહીવટીતંત્રે કડક પગલા લીધા હતા.
ADVERTISEMENT
વધુમાં વાંચો: વિપક્ષને ઝટકો! રાજ્યસભાએ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવ ફગાવ્યો
પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત, જિલ્લા કલેકટર અજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.