બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:26 PM, 12 September 2025
Mohan Bhagwat on Teriffs : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંચાલક મોહન ભાગવતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફને ભારતના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવનો પ્રત્યુત્તર ગણાવ્યો છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગવતે જણાવ્યું કે,પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા ભારતના ઉદયથી ડરતાં હોવાનું સ્પષ્ટ છે.
ADVERTISEMENT
VIDEO | Nagpur: RSS chief Mohan Bhagwat, while addressing a gathering, speaks on US tariffs. He says, “In the world, people fear that if India grows, their place will be diminished, so they impose tariffs. We did nothing, but they are luring the one who did it, thinking that if… pic.twitter.com/pBykPnJsy6
— Press Trust of India (@PTI_News) September 12, 2025
નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફ અંગે નિવેદન આપતા કહ્યું કે, આ ટેરિફ ભારતના વધતા પ્રભાવના ડરનું પરિણામ છે. ભાગવતે જણાવ્યું હતું કે, દુનિયાના લોકો ડરે છે કે જો ભારત મોટો થશે, તો આપણું શું થશે? તેથી ટેરિફ લાદો, તેઓ ડરે છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આપણા આંતરિક સંઘર્ષો અને વ્યક્તિગત ઈચ્છાઓ રાષ્ટ્રીય એકતા માટે અવરોધક બને છે, અને આજે વિશ્વને ઉકેલોની જરૂર છે-જે ફક્ત ભારત આપી શકે છે.
ADVERTISEMENT

વિશ્વ માટે ભારત એક આશા-કિરણ
ADVERTISEMENT
મોહન ભાગવતે ભારતના લોકસંસ્કાર અને જીવનમૂલ્યોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અછતમાં પણ ભારતીયો ખુશ રહે છે, અને જો પરિસ્થિતિ બદલાશે તો પણ તેમના મૂલ્યો બદલાતા નથી. તેમના મતે આજની વૈશ્વિક અસ્થિરતામાં વિશ્વને એક દિશાદર્શક નાગરિકતાની જરૂર છે અને એ સ્થાન માટે ભારત સંપૂર્ણપણે યોગ્ય છે.
આ પણ વાંચો : 1,50,00,00,000...., આ મામલે અમેરિકા-ચીન જેવાં દેશો પણ ભારતથી પાછળ, જુઓ રિપોર્ટ
ADVERTISEMENT
ટ્રમ્પના ટેરિફનો ઈતિહાસ અને કારણો
ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં બીજીવાર રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી પારસ્પરિક ટેરિફ નીતિ હેઠળ ભારત પર નોંધપાત્ર ટેરિફ લાદ્યાં છે. આ નીતિ મુજબ અમેરિકાએ તર્ક આપ્યું હતું કે, ભારતના ઊંચા આયાત શુલ્ક અને વેપાર ખાધનો જવાબ દેવું જરૂરી છે. આ દરમિયાન પ્રથમ ટેરિફ જુલાઈ 2025માં જાહેરાત અને 1 ઓગસ્ટથી અમલ-વ્યાપક નિકાસ ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા તો બીજું પગલું ભરત ઓગસ્ટ 2025માં વધુ એક ટેરિફ મામલે ભારતદ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી અને યુક્રેન યુદ્ધ ભંડોળ આપવા મુદ્દે વાંધો હોવાનું જણાવ્યું હતું. આ પગલાંઓના પરિણામે અમેરિકાએ ભારત પર નિકાસ ટેરિફ 50% સુધી વધાર્યો છે-જે કોઈપણ મોટા વેપારી ભાગીદાર માટે અત્યાર સુધીનો સૌથી ઊંચો દર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.