બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'રાજકીય ષડયંત્રમાં ફસાવ્યો' રાહુલ ગાંધીએ કોર્ટમાં નોંધાવ્યું નિવેદન, માનહાનિના આરોપ ફગાવ્યા
Last Updated: 02:08 PM, 20 February 2026
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુલતાનપુરની MP/MLA કોર્ટમાં હાજર રહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કરેલી ટિપ્પણી મામલે પોતાના પરના માનહાનિના આરોપોને ફગાવ્યા હતા. લગભગ 20 મિનિટ સુધી કોર્ટમાં રહી તેમણે કલમ 313 હેઠળ નિવેદન નોંધાવ્યું અને કેસને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવ્યો.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતે આવેલી MP/MLA કોર્ટમાં રાહુલ ગાંધી લગભગ 20 મિનિટ સુધી રહ્યા. તેમના વકીલ કાશી શુક્લાના જણાવ્યા મુજબ રાહુલે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 313 હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું અને તમામ આરોપોને નકારી કાઢ્યા. તેમણે કોર્ટને જણાવ્યું કે આ કેસ રાજકીય દ્વેષભાવથી પ્રેરિત છે. વકીલ કાશી શુક્લાએ કહ્યું કે રાહુલ ગાંધી સમયસર કોર્ટમાં પહોંચ્યા હતા અને સંપૂર્ણ સહકાર આપ્યો હતો. કોર્ટમાં પ્રવેશ કર્યા પછી રાહુલે હાથ જોડીને જજને પ્રણામ કર્યા અને સુનાવણી પૂર્ણ થયા બાદ જજનો આભાર માન્યો. આ કેસની આગામી સુનાવણી 9 માર્ચે હાથ ધરાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કેસ વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણીને લગતો છે. આરોપ છે કે રાહુલ ગાંધીએ તે સમયે અમિત શાહ સામે વિવાદિત નિવેદન આપ્યું હતું. સુલતાનપુર કોર્ટની બહાર લાગેલા પોસ્ટરોમાં રાહુલ ગાંધીની તસવીર સાથે ‘સત્યમેવ જયતે’ લખેલું જોવા મળ્યું.
ADVERTISEMENT
કોર્ટમાંથી નીકળ્યા બાદ રાહુલ ગાંધી રામચેત મોચીની દુકાને પહોંચ્યા. રામચેતનું ત્રણ મહિના પહેલા કેન્સરથી નિધન થયું હતું. એક વર્ષ પહેલા રાહુલ ગાંધીએ તેમની દુકાન પર પોતાના જૂતા સીવડાવ્યા હતા અને પછી તેમને સિલાઈ મશીન મોકલાવી હતી. દુકાન પર તેમણે રામચેતના પરિવારજનોને મળ્યા અને તેમની પૌત્રી શ્રદ્ધાને ખોળામાં લીધી. છોકરીના પગ પર ઈજા જોઈ તેમણે સારવાર વિશે પૂછપરછ કરી અને પ્રદેશ પ્રમુખ અજય રાય સાથે યોગ્ય સારવારની વ્યવસ્થા અંગે ચર્ચા કરી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાહુલ ગાંધી સાથે આવેલા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે કોર્ટની બહાર અટકાવ્યા હતા. જ્યારે સુરક્ષા કર્મચારીઓને અંદર જવા દેવામાં આવ્યા. સુલતાનપુર પહોંચતાં જ કાર્યકરો દ્વારા “રાહુલ ઝિંદાબાદ”ના નારા લગાવવામાં આવ્યા હતા. કાર્યકરો માળા પહેરાવવા આગળ આવ્યા પરંતુ રાહુલે નમ્રતાથી ઇનકાર કર્યો. સુનાવણી બાદ જ્યારે તેઓ કોર્ટમાંથી બહાર આવ્યા, ત્યારે હજારો લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મચારીઓએ તેમને બીજા દરવાજાથી બહાર લઈ જવાની વ્યવસ્થા કરી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.